Nepal Election Result 2026: નેપાળ ચૂંટણીના પરિણામો ભારત પર કેવી કરશે અસર?, જાણો

Last Updated: March 9, 2026By

નેપાળ ચૂંટણી પરિણામોમાં કોઈરાલા પરિવાર, ભૂતપૂર્વ પીએમ કે.પી.શર્મા.ઓલી અને માધવ કુમાર નેપાળ જેવા અગ્રણી સામે હાર્યો છે.

હાર-જીતની સૌગાત

પ્રથમ વખત નેપાળના કોંગ્રેસ પક્ષના પ્રમુખ ચૂંટણીમાં હાર્યા છે. વર્તમાન કોંગ્રેસ પ્રમુખ ગગન થાપા સરલાહી-4થી ચૂંટણી લડી રહ્યા હતા. જોકે, મુશ્કેલ સંજોગોમાં યોજાયેલી ચૂંટણીમાં પણ નેપાળના ક્રાંતિકારી નેતા અને ભૂતપૂર્વ પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. પ્રચંડ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા છે. પણ તેમના પક્ષના સાત સાંસદોએ નેપાળ પ્રતિનિધિ ગૃહમાં બેઠકો જીત્યા છે. પ્રચંડ પોતે લુમ્બિની પ્રાંતમાં સ્થિત પૂર્વ રુકુમ-1થી ચૂંટણી લડ્યા હતા.

પ્રચંડનું વર્ચસ્વ અકબંધ

નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ચૂંટણી પહેલા પોતાની બેઠક બદલી. તેઓ ભરતપુરથી સીધા પૂર્વ રુકુમ ગયા. જે પ્રચંડનો ગઢ માનવામાં આવે છે. પ્રચંડની પાર્ટી અહીં સતત ચૂંટણી જીતી રહી છે. પ્રચંડ પોતાના મતવિસ્તારમાં ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા હતા. પોતાના ભાષણોમાં, તેમણે વારંવાર નેપાળમાં લોકશાહી માટેની લડાઈનો ઉલ્લેખ કર્યો. હકીકતમાં, પ્રચંડે 2006માં નેપાળમાં લોકશાહીની ઘોષણામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રાજાશાહીનું થયુ પતન

પ્રચંડ તે સમયે નેપાળમાં સામ્યવાદી ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેના કારણે રાજાશાહીનું પતન થયુ હતુ. પ્રચંડની બેઠક પર બાલેન શાહની પાર્ટી ચોથા સ્થાને રહી. કે.પી.શર્મા ઓલીના ઉમેદવાર લીલામણિ ગૌતમ બીજા સ્થાને રહ્યા. વધુમાં, પ્રચંડ લુમ્બિની ક્ષેત્રની મોટાભાગની બેઠકો જીતવામાં પણ સફળ રહ્યા. દરમિયાન, તેમના સમકક્ષ, કેપી શર્મા ઓલી, તેમના ગઢ ઝાપામાં હાર થઇ હતી. બાલેન શાહે તેમને ઝાપામાં હરાવ્યા હતા.

કોણ છે પુષ્પ કમલ દહલ પ્રચંડ ?

71 વર્ષીય પ્રચંડ નેપાળમાં એક અગ્રણી સામ્યવાદી નેતા છે. 1990ના દાયકામાં, પ્રચંડ નેપાળમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે સામ્યવાદી ચળવળમાં જોડાયા હતા. આ સમય દરમિયાન, તેમણે એક ગેરિલા બ્રિગેડની રચના પણ કરી હતી. જે શસ્ત્રો સાથે નેપાળી સેના સામે લડી હતી. 2008માં, નેપાળમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુષ્પ કમલ દહલ પ્રચંડને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રચંડે ત્યારથી ત્રણ કાર્યકાળ સુધી સેવા આપી છે.

ભારત માટે નેપાળ ચૂંટણીના પરિણામો

1. 2008 પછી પહેલી વાર નેપાળમાં પૂર્ણ બહુમતીવાળી સરકાર રચાઈ છે. લોકશાહીના આગમન પછી નેપાળની રાજકીય સ્થિરતા ભારત માટે ફાયદાકારક છે. 1990 સુધી નેપાળની રાજનીતિમાં સ્થિરતા રહી, જેનો ભારતને ફાયદો થયો. નેપાળ અને ભારત 1751 કિલોમીટર ખુલ્લી સરહદ ધરાવે છે.

2. રવિ લામિછાને એ પક્ષના નેતા છે જેનું નેતૃત્વ બાલેન શાહ કરી રહ્યા છે. તેમણે અગાઉ ઘણી વખત ચીનના BRI પ્રોજેક્ટની ટીકા કરી છે. નેપાળનો BRI પ્રોજેક્ટ ભારત માટે માથાનો દુખાવો રહ્યો છે. આ પ્રોજેક્ટ સામ્યવાદી શાસન દરમિયાન મંજૂર કરવામાં આવ્યો હતો.

3. અત્યાર સુધી સામ્યવાદી સરકારને કારણે નેપાળમાં ચીનનો સીધો પ્રભાવ હતો, પરંતુ હવે લામિછાને અને બાલેન બંને સંતુલિત રાજદ્વારીની હિમાયત કરી રહ્યા છે. આ ભારત માટે ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ અમેરિકા-ઇઝરાયલના હુમલા વચ્ચે ઇરાનમાં સત્તા સંઘર્ષ વધ્યો, પરિવારવાદ બન્યુ વિવાદનું કારણ