Health News : વાઈનો હુમલો આવે ત્યારે શું કરવું? જાણો દર્દીને બચાવવા માટેની જરૂરી પ્રાથમિક સારવાર

Last Updated: March 26, 2026By

ઉનાળાની ગરમીમાં વ્યક્તિને હિટસ્ટ્રોકનું જોખમ રહેતું હોય છે. પરંતુ કેટલાક લોકોમાં વાઈનો હુમલો જોવા મળે છે. તેઓ આ સમયમાં વાઈના હુમલાનો ભયાનક અનુભવ કરે છે,  જયારે આપણી આસપાસની કોઈ વ્યક્તિને વાઈનો હુમલો આવે તો તેને સારવાર આપી બચાવી શકાય છે. પરંતુ લોકોમાં ગભરામણમાં એવી ભૂલો કરે છે જે દર્દી માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે કોઈને વાઈના હુમલાનો અનુભવ કરતા જુઓ છો, તો તમારી પ્રાથમિકતા તેમને સુરક્ષિત રાખવાની હોવી જોઈએ. હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે તે વાઈનો હુમલો થતો વ્યક્તિને આ સારવાર આપી બચાવી શકાય છે.

દર્દીના લક્ષણો ઓળખી આપો સારવાર

કોઈપણ વ્યક્તિને જયારે વાઈનો હુમલો આવે ત્યારે આંચકી આવવી, બેભાન થવું, અવાજ સંભળાવો કે આંખો પટપટાવતા હોય તેવા લક્ષણો દેખાય છે. જયારે કોઈના આ લક્ષણો દેખાય ત્યારે દર્દીને સુરક્ષિત રાખવા ડોક્ટર આવે તે પહેલા આટલું જરૂર કરવું જોઈએ. જો દર્દીને વાઈનો હુમલો 4-5 મિનિટથી વધુ સમય રહે તો તબીબી સલાહ લેવી જરૂરી છે.

વાઈના હુમલામાં દર્દીનું આ રીતે રાખો ધ્યાન

  • વ્યક્તિ સાથે રહો: તેમને એકલા ન છોડો. જ્યાં સુધી હુમલો સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમની સાથે રહો.
  • આસપાસનો વિસ્તાર સાફ કરો: તેમની આસપાસની કોઈપણ વસ્તુને દૂર કરો જે ઇજા પહોંચાડી શકે છે, જેમ કે તીક્ષ્ણ વસ્તુઓ, ફર્નિચર અથવા કાચ.
  • તબીબી ઓળખપત્ર તપાસો:  જુઓ કે શું તેઓએ કોઈ તબીબી બ્રેસલેટ અથવા કાર્ડ પહેર્યું છે જે તેમની બીમારી અને કટોકટીના સંપર્કો વિશે માહિતી પ્રદાન કરે છે.
  • વ્યક્તિને પોતાની બાજુ ફેરવો: જો વ્યક્તિ જમીન પર સૂતી હોય, તો તેને ધીમેથી પોતાની બાજુ ફેરવો. આનાથી તેમનો શ્વાસનળી સાફ રહેશે અને લાળ કે ઉલટીથી ગૂંગળામણનું જોખમ ઘટશે.
  • સમયનું ધ્યાન રાખો: હુમલા શરૂ થતાંની સાથે જ તમારી ઘડિયાળ તપાસો. જો હુમલા 5 મિનિટથી વધુ ચાલે, તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો

ગંભીર હુમલામાં, વ્યક્તિ બેહોશ થઈ શકે છે, પડી શકે છે અથવા આંચકી આવી શકે છે. આવા કિસ્સામાં તમે તે વ્યક્તિને જમીન પર હળવેથી સુવડાવી દો જેથી તેઓ પડીને પોતાને ઇજા ન પહોંચાડે. તેમના માથા નીચે કંઈક નરમ અને સપાટ મૂકો. જો તેઓ ચશ્મા પહેરે છે, તો તેને ઉતારી નાખો શ્વાસ લેવામાં સરળતા રહે તે માટે તમારી ટાઈ ઢીલી કરો અથવા તમારા શર્ટના બટન ખોલો

વાઈના હુમલા દરમિયાન શું ન કરવું?

  • મોઢામાં કંઈ ન નાખવું: દર્દીના મોઢામાં પાણી, ખોરાક કે દવા નાખવાનો પ્રયાસ ન કરો.
  • જીભ ન પકડવી: દર્દી જીભ ગળી જતો નથી, તેથી મોં ખોલવા કે જીભ પકડવાનો પ્રયાસ ન કરો.
  • દબાવશો નહીં: આંચકી આવતી હોય ત્યારે દર્દીના હાથ-પગ પકડીને દબાવશો નહીં.
  • સુંઘાડવું નહીં: ચંપલ કે ડુંગળી સુંઘાડવાની ગેરમાન્યતાથી દૂર રહો

કેમ આવે છે વાઈનો હુમલો

વાઈનો હુમલો આવવો એટલે કે આંચકી આવવી એ મગજમાં અસામાન્ય વિદ્યુત પ્રવૃત્તિનો અચાનક વિસ્ફોટ છે જે વિવિધ લક્ષણોનું કારણ બની શકે છે, જેમાં ચેતનામાં થોડો ઘટાડો અથવા સ્નાયુઓના ધક્કાથી લઈને લાંબા સમય સુધી આંચકી સુધીનો સમાવેશ થાય છે. આનુવંશિક પરિસ્થિતિઓ અથવા વિકાસલક્ષી અસામાન્યતાના કારણે પણ દર્દીમાં આ હુમલો આવે છે. બાળકો અને મોટી ઉંમરના લોકોમાં તે વધારે જોવા મળે છે.

આ પણ વાંચો : Lifestyle: ટાઇફોઇડવાળી દવાઓની શુ હવે નથી રહી અસર, જાણો શું છે કારણ?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )