Ritesh Deshmukh Announces Salman Khans Raja Shivaji Entry
7 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવ્યો છે. એક્ટર-ડિરેક્ટર રિતેશ દેશમુખે તેની આગામી ફિલ્મ ‘રાજા શિવાજી’માં સલમાનની એન્ટ્રી કન્ફર્મ કરી દીધી છે.
‘બિગ બોસ મરાઠી’માં રિતેશની મોટી જાહેરાત
રિતેશ દેશમુખે આ જાહેરાત તાજેતરમાં ‘બિગ બોસ મરાઠી સીઝન 6’ દરમિયાન કરી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે, ‘સલમાન ખાન આ ફિલ્મમાં એક મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે.’
આ ખુલાસા પછી સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ચર્ચા તેજ બની ગઈ છે અને ચાહકો હવે સલમાનના પાત્રને લઈને અટકળો લગાવી રહ્યા છે.

‘રાજા શિવાજી’માં સલમાન ખાન ‘જીવા મહાલા’નું પાત્ર ભજવે તેવી શક્યતા છે.
જોકે, ફિલ્મમાં સલમાન ખાન કઈ ભૂમિકામાં જોવા મળશે, તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે છત્રપતિ શિવાજી મહારાજના નજીકના સહયોગી જીવા મહાલાનું પાત્ર ભજવી શકે છે, પરંતુ મેકર્સે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
છત્રપતિ શિવાજી મહારાજની વીરતા પર ફિલ્મ આધારિત
‘રાજા શિવાજી’ એક ભવ્ય ઐતિહાસિક ફિલ્મ છે, જે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના જીવન, વીરતા અને નેતૃત્વ પર આધારિત છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ પોતે શિવાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેના ડિરેક્શનની કમાન પણ તેણે જ સંભાળી છે.

‘રાજા શિવાજી’ ફિલ્મમાં રિતેશ એક્ટર અને ડિરેક્ટર, બંનેની ભૂમિકા ભજવી રહ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ઘણી દમદાર છે. તેમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન અને જેનેલિયા દેશમુખ સહિત ઘણા મોટા નામ સામેલ છે. સલમાન ખાનના જોડાવાથી ફિલ્મનો સ્કેલ વધુ મોટો થઈ ગયો છે, જેનાથી તેને પાન-ઈન્ડિયા સ્તરે જબરદસ્ત ફાયદો મળવાની અપેક્ષા છે.
આ ફિલ્મ 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. હાલમાં, સલમાન ખાનના રોલને લઈને બનેલો સસ્પેન્સ જ આ ફિલ્મની સૌથી મોટી ચર્ચા બની ગયો છે.
,
રિતેશ દેશમુખ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
પિતાને યાદ કરીને રિતેશ દેશમુખ સ્ટેજ પર રડી પડ્યો:છત્રપતિ શિવાજીનું પાત્ર ભજવતી વખતે પિતાની ખોટ સાલી, પત્ની જેનેલિયા પણ આંસુ રોકી ન શકી

રિતેશને ભાવુક થતો જોઈ પત્ની જેનેલિયા પણ પોતાના આંસુ રોકી ન શકી.
રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’નું દમદાર ટ્રેલર રિલીઝ થયું છે. મુંબઈમાં ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન રિતેશ દેશમુખ ભાવુક થઈ ગયો હતો. ‘છત્રપતિ શિવાજી મહારાજ’ના પાત્ર વિશે વાત કરતા કરતા તેને ગળે ડુમો ભરાઈ ગયો હતો, અને તે સ્ટેજ પર જ રડી પડ્યો હતો. શિવાજીનું પાત્ર ભજવવાના પડકારો વિશે જણાવતા સમયે તેણે પિતા વિલાસરાવ દેશમુખને યાદ કર્યા હતા. દરમિયાન વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. પતિની આંખોમાં આંસુ જોઈને જેનેલિયા ડિસોઝા પણ રડી પડી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


