PBKS vs Delhi Capitals IPL 2026: Playoff Race Heats Up

Last Updated: May 10, 2026By

30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

IPL 2026માં સોમવારે 55મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મુકાબલો ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે થશે.

ટુર્નામેન્ટની શરૂઆતમાં અજેય રહેલી પંજાબની ટીમ સતત ત્રણ હાર પછી દબાણમાં છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે શ્રેયસ અય્યરની ટીમે પોતાની ભૂલો સુધારવી પડશે.

બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે આ સીઝન લગભગ ખતમ થવાના આરે છે. પાછલી છમાંથી પાંચ મેચ હાર્યા પછી ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 8મા સ્થાન પર છે. જોકે, ટીમ હજુ પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ, પરંતુ રાહ ખૂબ મુશ્કેલ બની ગઈ છે.

બંને ટીમો 36મી વાર સામસામે હશે બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 35 મેચ રમાઈ છે. PBKSએ 18 અને DC એ 16 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી, જે પંજાબે જીતી હતી. પાછલી સીઝનનો મુકાબલો પણ પંજાબ જીત્યું હતું. આ સીઝનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી મેચમાં પણ પંજાબને જીત મળી હતી.

પંજાબની ફિલ્ડિંગ અને બોલિંગ ચિંતા બની પંજાબ કિંગ્સ માટે ટુર્નામેન્ટનો બીજો હાફ અપેક્ષા મુજબ રહ્યો નથી. ટીમની સૌથી મોટી સમસ્યા ખરાબ ફિલ્ડિંગ અને ડેથ ઓવર્સમાં રન આપવા છે. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ પણ પાછલી કેટલીક મેચોથી શાંત છે.

કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમે શરૂઆતની સફળતાવાળી માનસિકતામાં પાછા ફરવું પડશે. કૂપર કોનોલી 10 મેચોમાં 377 રન બનાવીને ટીમના ટોપ રન સ્કોરર છે. તો વળી, અર્શદીપ સિંહ 11 વિકેટ સાથે ટોપ વિકેટ ટેકર છે.

શ્રેયસ અય્યર બોલ્યા- નેગેટિવ વાતોથી દૂર રહીને મજબૂત વાપસી કરીશું સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ અય્યરે કહ્યું, ‘અમારી આ ટુર્નામેન્ટની શરૂઆત ઘણી સારી હતી. દરેક ખેલાડી સાચા માઇન્ડસેટમાં હતો. હવે જરૂરી છે કે આપણે એ જ માનસિકતા પર ટકી રહીએ. નેગેટિવ વાતોમાં ગૂંચવાવું સરળ છે, પરંતુ આપણે એ વસ્તુઓ પર ધ્યાન આપીશું જે પાછલી ત્રણ મેચોમાં સાચી રહી નથી.’

આગામી સીઝનની તૈયારીમાં લાગેલી દિલ્હી, બેન્ચ સ્ટ્રેન્થને મળી શકે છે તક દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે સંકેત આપ્યા છે કે ટીમ હવે આગામી સીઝનની તૈયારી પર ધ્યાન આપી રહી છે. KKR સામેની હાર બાદ અક્ષરે કહ્યું હતું કે બેન્ચમાં બેઠેલા ખેલાડીઓને તક આપી શકાય છે. દિલ્હીના બેટર ધીમી અને ટર્નિંગ પિચો પર નિષ્ફળ રહ્યા છે. કુલદીપ યાદવના ખરાબ ફોર્મે ટીમની મુશ્કેલીઓ વધારી છે. કેએલ રાહુલ 468 રન સાથે દિલ્હીના ટોપ રન સ્કોરર છે, જ્યારે કેપ્ટન અક્ષર પટેલ 10 વિકેટ લઈને ટોપ વિકેટ ટેકર છે.

પિચથી ફાસ્ટ બોલરોને ફાયદો મળી શકે છે ધર્મશાલાનું મેદાન ફાસ્ટ આઉટફિલ્ડ અને બોલરોને મળતા ઉછાળ માટે જાણીતું છે. અહીં IPLની 14 મેચો રમાઈ છે. આમાંથી 9 વાર પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 5 વાર ચેઝ કરનારી ટીમને જીત મળી છે.