PM મોદીને સ્વીડને સર્વોચ્ચ સન્માન આપ્યું:31મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું; ફાઇટર જેટ્સે એસ્કોર્ટ કર્યું, સ્વીડિશ PM રિસીવ કરવા પહોંચ્યા
પીએમ મોદીને સ્વીડનમાં ‘રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ’ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ કોઈપણ દેશના વડાપ્રધાન કે સરકારના વડાને આપવામાં આવતું સ્વીડનનું સર્વોચ્ચ સન્માન છે. ગોથેનબર્ગ શહેરમાં રવિવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ મોદીને મળેલું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મોદી 8 વર્ષ પછી સ્વીડન પહોંચ્યા છે. આ પહેલા તેમણે 2018માં સ્વીડનની મુલાકાત લીધી હતી. પીએમ મોદીનું વિમાન જેવું સ્વીડનની સરહદમાં પહોંચ્યું, સ્વીડિશ ફાઈટર જેટ્સે તેને સુરક્ષા આપતા એસ્કોર્ટ કર્યું. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન પીએમ મોદીને રિસીવ કરવા ગોથેનબર્ગ એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને ગ્રીન એનર્જી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારોની પણ અપેક્ષા છે. સ્વીડન પ્રવાસ દરમિયાન પીએમ મોદી ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી શકે છે. પીએમ મોદીની આરતી ઉતારતી ભારતીય મૂળની મહિલાઓ PMના સન્માનમાં ક્લાસિકલ ડાન્સ કરતી સ્વીડનની છોકરીઓ નેધરલેન્ડથી 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો ભારત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ યાત્રા દરમિયાન 11મી સદીની ઐતિહાસિક ચોલ તામ્ર પટ્ટીકાઓને ભારત લાવવા પર સમજૂતી થઈ. આ લગભગ 1000 વર્ષ જૂના તમિલ દસ્તાવેજો છે, જેમાં ચોલ સામ્રાજ્ય સંબંધિત ઐતિહાસિક માહિતી છે. સમજૂતી હેઠળ 11મી સદીની ચોલ તામ્ર પટ્ટીકાઓ જલ્દી ભારત લાવવામાં આવશે. આ 21 મોટી અને 3 નાની તાંબાની પ્લેટોનો સંગ્રહ છે. આમાં મોટાભાગના લેખ તમિલ ભાષામાં લખાયેલા છે. મોદીએ કહ્યું કે આ પટ્ટીકાઓમાં રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમ અને તેમના પિતા રાજા રાજરાજા ચોલ પ્રથમ સંબંધિત માહિતી નોંધાયેલી છે. તામ્ર પટ્ટીકાઓ તાંબાની બનેલી પ્લેટો હોય છે, જેના પર જૂના સમયમાં મહત્વની વાતો લખવામાં આવતી હતી. નિષ્ણાતોના મતે, 19મી સદીમાં જ્યારે યુરોપિયન દેશો ભારત અને એશિયાના અન્ય ભાગોમાં વેપાર અને રિસર્ચ કરી રહ્યા હતા, તે જ સમયગાળા દરમિયાન આ દસ્તાવેજો વિદેશ લઈ જવામાં આવ્યા હતા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચે પણ સમજૂતી ધ હેગમાં ટાટા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML વચ્ચે પણ સમજૂતી થઈ. આ કરાર સેમિકન્ડક્ટર અને ચિપ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે છે. ASML વિશ્વની અગ્રણી ચિપ મશીન બનાવતી કંપનીઓમાંની એક છે, જ્યારે ટાટા ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ વધારી રહી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASMLના પ્રતિનિધિઓ ડીલ પર હસ્તાક્ષર કરી રહ્યા છે, જ્યારે પીએમ મોદી અને પીએમ જેટન પાછળ ઊભા છે… નેધરલેન્ડના રાજા-રાણીને મળ્યા પીએમ મોદી શનિવારે મોદીએ નેધરલેન્ડના હેગ શહેરમાં ત્યાંના રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી. આ મુલાકાત શાહી મહેલ ‘પેલેસ હાઉસ ટેન બોશ’માં થઈ. બેઠક દરમિયાન ભારત અને નેધરલેન્ડના સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ. બંનેએ શિક્ષણ, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ વધારવાની વાત કરી. નેધરલેન્ડના રાજા અને રાણીએ વડાપ્રધાન મોદીના સન્માનમાં ડિનરનું પણ આયોજન કર્યુ. મોદીએ 2019માં રાજા અને રાણીની ભારત યાત્રાને યાદ કરતા કહ્યું કે તે પ્રવાસથી બંને દેશોના સંબંધોને નવી મજબૂતી મળી હતી. પીએમ મોદીએ નેધરલેન્ડ સરકારની મહેમાનગતિ બદલ આભાર માન્યો. PM મોદી બોલ્યા- ભારતમાં રોકાણ કરવાનો અત્યારે સૌથી સારો સમય નેધરલેન્ડના હેગ શહેરમાં શનિવારે આયોજિત CEO રાઉન્ડ ટેબલ બેઠકમાં મોદીએ કહ્યું કે ભારતમાં રોકાણ અને વેપાર માટે આ સૌથી સારો સમય છે. તેમણે જણાવ્યું કે ટેક્સ, લેબર કાયદા અને સરકારી વ્યવસ્થામાં સુધારાને કારણે ભારતમાં મેન્યુફેક્ચરિંગ હવે સસ્તું અને સરળ બની ગયું છે. PM મોદીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક્સ, જે પહેલા મોટો આયાત ક્ષેત્ર હતો, તે હવે ભારતનો મોટો નિકાસ ક્ષેત્ર બની ગયો છે. ભારત અને નેધરલેન્ડ ગ્રીન હાઇડ્રોજન, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ વધારશે. ભારતમાં 300થી વધુ ડચ કંપનીઓ કાર્યરત વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કરાર બંને પક્ષો માટે નવી તકો ખોલશે. સાથે જ બંને દેશો તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ ડચ કંપનીઓને ભારતમાં વધુ રોકાણ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે 300થી વધુ ડચ કંપનીઓ પહેલાથી જ ભારતમાં કામ કરી રહી છે અને ભારત ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં વેપાર કરનારાઓને સારી તકો અને સારા પરિણામો મળશે. —————— આ સમાચાર પણ વાંચો… મોદી બોલ્યા- આ દુનિયા માટે આપત્તિઓનો દાયકો: પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ, સ્થિતિ ન બદલાઈ તો દુનિયા ગરીબીમાં ધકેલાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડના પ્રવાસે છે. તેમણે ધ હેગમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વિશ્વની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. મોદીએ કહ્યું કે આજે માનવતા સામે ઘણા મોટા પડકારો છે. આ દાયકો આપત્તિઓનો દાયકો બની ગયો છે. દુનિયા પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

