Anil Ambani Group Cheating Case; ₹150 Cr Loan Fraud
નવી દિલ્હી19 કલાક પેહલા
- કૉપી લિંક
અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓના તત્કાલીન ડિરેક્ટરો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સિસ વિંગે આ કેસ કફ પરેડ પોલીસ સ્ટેશનમાં કર્યો છે. આરોપીઓ પર બેંકમાંથી 150 કરોડ રૂપિયાની લોન લઈને તેને અન્ય કામોમાં ટ્રાન્સફર કરવાનો અને ડિફોલ્ટ કરવાનો આરોપ છે.
એક્સિસ બેંકની ફરિયાદ પર કેસ દાખલ
EOWના સૂત્રો અનુસાર, આ કાર્યવાહી એક્સિસ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશ પ્રભાકર રાવની ફરિયાદ પર કરવામાં આવી છે. બેંકનું કહેવું છે કે આરોપીઓએ બેંકને નાણાકીય નુકસાન પહોંચાડવા અને છેતરપિંડી કરવાના ઇરાદાથી ષડયંત્ર રચ્યું હતું. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ એક્સિસ બેંકની ફરિયાદ પર નોંધોયેલી આ બીજી FIR છે.
જાન્યુઆરી 2010 થી નવેમ્બર 2019 વચ્ચેનો મામલો
આ કેસ જાન્યુઆરી 2010 થી નવેમ્બર 2019 વચ્ચેનો છે. આ સમય દરમિયાન, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ એટલે કે RHFLના તત્કાલીન પૂર્ણ-સમયના ડિરેક્ટર, ADAG ગ્રુપની લાભાર્થી કંપનીઓના તત્કાલીન ડિરેક્ટરો અને ગ્રુપના સંબંધિત અધિકારીઓએ મળીને આ ષડયંત્ર રચ્યું હતું.

નકલી દસ્તાવેજો જમા કરાવી લોન લીધી અને ડાયવર્ટ કરી
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે લોન મંજૂર કરાવવા માટે આરોપીઓએ બેંકમાં નકલી દસ્તાવેજો જમા કરાવ્યા અને ખોટી માહિતી આપી. RHFL ની નાણાકીય સ્થિતિ અંગે પણ ભ્રામક માહિતી આપી.
જ્યારે બેંકે 150 કરોડ રૂપિયાની લોન જારી કરી, ત્યારે આરોપીઓએ તે પૈસાને પોતાના જ ગ્રુપ સાથે સંકળાયેલી અન્ય કંપનીઓના બેંક ખાતાઓમાં ડાયવર્ટ કરી દીધા અને પછીથી લોન ચૂકવી નહીં.
આ જ વર્ષે 12 માર્ચે પ્રથમ FIR નોંધાઈ હતી
એક્સિસ બેંકની ફરિયાદ પર અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ વિરુદ્ધ આ બીજી મોટી કાર્યવાહી છે. આ પહેલા આ જ વર્ષે 12 માર્ચે EOW એ આ જ આધારો પર અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ અને તેમના ઘણા નિર્દેશકો વિરુદ્ધ પ્રથમ FIR દાખલ કરી હતી.
વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશ પ્રભાકર રાવે માર્ચમાં પણ ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે હવે આ બીજા કેસમાં કાર્યવાહી આગળ વધારી છે.
નોલેજ પાર્ટ: શું હોય છે EOW અને લોન ડાયવર્ઝન?
ઇકોનોમિક ઓફેન્સ વિંગ: તેને આર્થિક ગુના શાખા કહેવાય છે. આ પોલીસની એક વિશેષ વિંગ હોય છે, જે ફક્ત મોટા નાણાકીય કૌભાંડો, કોર્પોરેટ છેતરપિંડી, બનાવટ અને ટેક્સ ચોરી જેવા આર્થિક ગુનાઓની તપાસ કરે છે.
લોન ડાયવર્ઝન: જ્યારે કોઈ કંપની કે વ્યક્તિ બેંક પાસેથી કોઈ ચોક્કસ કામ કે બિઝનેસ માટે લોન લે છે, પરંતુ તે પૈસાનો ઉપયોગ તે કામમાં કરતો નથી, તો તેને લોન ડાયવર્ઝન કહેવાય છે. આમાં લોનના પૈસાનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવે છે અથવા પોતાની જ સહયોગી કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


