Ranveer Singh Ban: FWICE Slams Sanjay Gupta Recalls Jackie Shroff Controversy

Last Updated: May 27, 2026By

8 કલાક પેહલા

  • કૉપી લિંક

રણવીર સિંહ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો તેના સમર્થનમાં ઉતર્યા છે. જોકે, ડિરેક્ટર સંજય ગુપ્તાને રણવીરનો પક્ષ લેવો મોંઘો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઓફ સિને એમ્પ્લોયીઝ) એ તેને 2021ની તે ફરિયાદ યાદ અપાવી છે, જે તેમણે જેકી શ્રોફ દ્વારા અચાનક ફિલ્મ ‘મુંબઈ સાગા’ છોડવા પર નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

હકીકતમાં, 25 મેના રોજ જ્યારે FWICE એ ‘ડૉન 3’ અચાનક છોડવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ નોન-કોર્પોરેશન ડિક્લેરેશન જાહેર કર્યું છે. એટલે કે હવે ફેડરેશન સાથે જોડાયેલા લોકો વિવાદ સમાપ્ત ન થાય, ત્યાં સુધી રણવીર સાથે કામ કરશે નહીં.

‘બૅનથી વર્કર્સની રોજીરોટી છીનવાય છે’

આના પર વિરોધ વ્યક્ત કરતા સંજય ગુપ્તાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, ‘જ્યારે એક એ-લિસ્ટ હીરો શૂટ કરે છે, ત્યારે તેની સાથે 300થી વધુ વર્કર્સ સેટ પર કામ કરે છે. કોઈને પ્રતિબંધિત કરવાથી તેનું નુકસાન થતું નથી, પરંતુ તે મજૂરોની રોજીરોટી છીનવાઈ જાય છે, જેઓ તે કામ પર જ નિર્ભર છે. આખરે આનો અર્થ શું છે?’

સંજય ગુપ્તાએ 'શુટઆઉટ એટ લોખંડવાલા', 'શુટઆઉટ એટ વડાલા', 'કાંટે', 'કાબીલ' સહિતની ફિલ્મો ડિરેક્ટ કરી છે.

સંજય ગુપ્તાએ ‘શુટઆઉટ એટ લોખંડવાલા’, ‘શુટઆઉટ એટ વડાલા’, ‘કાંટે’, ‘કાબીલ’ સહિતની ફિલ્મો ડિરેક્ટ કરી છે.

રણવીરને સમર્થન આપવા પર ફેડરેશનના સેક્રેટરી અશોક દુબેએ ગુસ્સે થઈને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં ‘મુંબઈ સાગા’ની યાદ અપાવતા કહ્યું, ‘હું સંજય ગુપ્તાજીને પૂછવા માંગુ છું કે થોડા વર્ષો પહેલા જ્યારે તેમની ફિલ્મ ‘મુંબઈ સાગા’નું શૂટિંગ ચાલી રહ્યું હતું અને જેકી શ્રોફે આવવાની ના પાડી દીધી હતી, ત્યારે આ જ સમસ્યા IFTDA અને ફેડરેશને મળીને ઉકેલી હતી. ત્યારે આ વાંધો ક્યાં હતો?’

આગળ તેમણે કડક કાર્યવાહી કરવા પર કહ્યું, ‘જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઘણા ફિલ્મમેકર્સ અને પ્રોડ્યુસર્સને નુકસાન ભોગવવું પડશે. અમે કોઈને બૅન કર્યા નથી, અમે ફક્ત નોન-કોઓપરેશનની વાત કરી છે. આ ફેડરેશનના સભ્યોનો નિર્ણય છે, ફિલ્મ બોડીનો આંતરિક નિર્ણય છે.’

જાણો શું છે આખો મામલો?

ફરહાન અખ્તરે વર્ષ 2023માં એક્ટર રણવીર સિંહ સાથે ફિલ્મ ‘ડોન-3’ની જાહેરાત કરી હતી. 2006માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ‘ડોન’ અને 2011માં આવેલી ‘ડોન-2’ પછી આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ બનવાની હતી.

જાહેરાત સમયે કિયારા અડવાણીને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સી અને મેટરનિટી બ્રેકના કારણે કિયારાએ ફિલ્મ છોડી દીધી, ત્યારબાદ ક્રીતિ સેનનને કાસ્ટ કરવાના સમાચાર આવ્યા હતા.

'ડોન 3'નું પ્રોડક્શન ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ થાય છે.

‘ડોન 3’નું પ્રોડક્શન ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ થાય છે.

આ ફિલ્મ ફરહાન અખ્તર, હોમ પ્રોડક્શન એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવી રહ્યા હતા. ‘ડોન-3’ને ચાલુ રાખવા માટે ફરહાને પોતાની બીજી ફિલ્મ ‘જી લે ઝરા’ પોસ્ટપોન કરી દીધી.

ફિલ્મ મોડી પડતાં રણવીર સિંહ ‘ધુરંધર’માં વ્યસ્ત થઈ ગયો. રિપોર્ટ્સ હતા કે 2025માં ‘ડોન 3’નું શૂટિંગ શરૂ થશે, પરંતુ પછી અચાનક રણવીર સિંહે ફિલ્મ છોડી દીધી. મેકર્સનો આરોપ છે કે, રણવીર સ્ક્રિપ્ટમાં દખલગીરી કરી રહ્યો હતો. તે ગાળાગાળી અને હિંસક સીનની માંગ કરી રહ્યો હતો, પરંતુ મેકર્સ આના પર રાજી ન થયા.

‘મિડ-ડે’ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રણવીરે ફિલ્મ છોડી દીધી છે અને તે જલ્દી જ ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ પણ પરત કરી દેશે, જ્યારે મેકર્સ પહેલાથી જ પ્રી-પ્રોડક્શન, વિલંબ અને રી-વર્કના કારણે ફિલ્મ પર ખર્ચ કરી ચૂક્યા હતા.

આના પર ફરહાન અખ્તરે પ્રોડ્યુસર્સ ગિલ્ડમાં ફરિયાદ કરીને 45 કરોડના વળતરની માંગ કરી. તેમનું કહેવું હતું કે પ્રી-પ્રોડક્શન, શૂટિંગ શેડ્યૂલમાં ફેરફારના કારણે તેને ભારે નુકસાન થયું છે.

ત્યારે આમિર ખાને પણ મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત ન બની. પ્રોડ્યુસર ગિલ્ડે બંને પક્ષોને સમાધાન માટે સમય પણ આપ્યો, પરંતુ ત્યારે પણ કોઈ ઉકેલ ન આવ્યો.

પાછળથી આ મામલો FWICE પાસે પહોંચ્યો. આ મામલાને ગંભીરતાથી લેતા ફેડરેશને રણવીર સિંહને અલગ-અલગ પ્રસંગોએ 3 નોટિસ મોકલી, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે, આ કાનૂની મામલો છે, જે ફેડરેશન દ્વારા નહીં પરંતુ કોર્ટ દ્વારા ઉકેલવો જોઈએ. આખરે 25 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ રાખ્યા બાદ ફેડરેશને રણવીરને બૅન કરવાની જાહેરાત કરી દીધી.

ફિલ્મ ફેડરેશને રણવીર સિંહ પર બૅન મૂક્યાની જાહેરાત કરી.

ફિલ્મ ફેડરેશને રણવીર સિંહ પર બૅન મૂક્યાની જાહેરાત કરી.

રણવીર સિંહની ટીમનો દાવો- એક્ટર સમજી-વિચારીને ચૂપ છે રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું કે- ‘રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ‘ડૉન’ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું દિલથી સન્માન કરે છે. ‘ડૉન 3′ ને લઈને હાલમાં જે કંઈ પણ બન્યું છે, તેના પર તેમણે સમજી-વિચારીને મૌન રહેવું જ યોગ્ય માન્યું છે. તેમનું માનવું છે કે કામ સાથે જોડાયેલી બાબતો અને પરસ્પર સંબંધો હંમેશા ગરિમા, સમજદારી અને પરસ્પર સન્માન સાથે જ નિભાવવા જોઈએ.’

‘આ દરમિયાન ઘણી બધી વાતો અને અફવાઓ સામે આવી છે, પરંતુ રણવીરે ક્યારેય પણ જાહેરમાં આ અંગે કોઈ સ્પષ્ટતા કરવી કે આ અટકળોને પ્રોત્સાહન આપવું જરૂરી નથી સમજ્યું. તેમનું પૂરું ધ્યાન સંપૂર્ણપણે તેમના કામ અને આગામી પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત છે.’

‘તેઓ આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો માટે પોતાના દિલમાં સન્માન રાખે છે અને ઈચ્છે છે કે આ ફ્રેન્ચાઇઝી આગળ પણ ખૂબ સફળ થાય. આવા મુશ્કેલ સમયમાં સંયમ અને શાલીનતા જાળવી રાખવી એ હંમેશાથી તેમનો પોતાનો નિર્ણય રહ્યો છે, અને તેઓ આગળ પણ આ જ વલણ પર કાયમ રહેશે.’

રણવીરની આગામી ફિલ્મો પર શું અસર થશે?

આ નિર્દેશને કારણે રણવીર સિંહના નવા પ્રોજેક્ટ્સ અને ફિલ્મોના નિર્માણમાં મુશ્કેલીઓ આવી શકે છે. રણવીર સિંહની આગામી ફિલ્મોમાં ‘કિંગ’ (સ્પેશિયલ કેમિયો), ડિરેક્ટર આદિત્ય ધર સાથેનો આગામી મોટો પ્રોજેક્ટ, કિયારા અડવાણી સાથેની એક ફિલ્મ અને સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’ સામેલ છે.

શૂટિંગમાં અડચણ: રણવીરની જે ફિલ્મોનું શૂટિંગ હજુ થવાનું બાકી છે, ત્યાં કામ કરતા 90 ટકા ટેકનિશિયનો, જુનિયર આર્ટિસ્ટો અને ક્રૂ મેમ્બર્સ આ જ ફેડરેશન સાથે જોડાયેલા છે. અસહકારના નિર્દેશને કારણે આ વર્કર્સ રણવીરના સેટ પર કામ કરવાની ના પાડી શકે છે, જેનાથી શૂટિંગ અટકી શકે છે.

મેકર્સની મુશ્કેલી: રણવીર સાથે નવી ફિલ્મનું પ્લાનિંગ કરી રહેલા અન્ય પ્રોડ્યુસર્સ માટે કામ આગળ ધપાવવું મુશ્કેલ બનશે. તેમણે ફિલ્મ શરૂ કરતા પહેલા ફેડરેશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાની જરૂર પડી શકે છે. જ્યાં સુધી આ વિવાદ ઉકેલાશે નહીં, ત્યાં સુધી રણવીરના નવા પ્રોજેક્ટ્સ અટકી શકે છે.

ફેડરેશન કામ બંધ કરી દે તો શૂટિંગ કેન્સલ

FWICE પાસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાર્યકારી વાતાવરણને નિયંત્રિત કરવાની મોટી શક્તિ છે.

કામ રોકવું: જો ફેડરેશન તેના 4 થી 5 લાખ સભ્યોને કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા રોકી દે, તો બીજા જ દિવસથી ફિલ્મો અને ટીવી શોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ચુકવણી વસૂલવી: ફેડરેશન નિર્માતાઓ અને કલાકારો વચ્ચેના પૈસાના વિવાદોનું નિરાકરણ લાવે છે. ઉદાહરણ તરીકે, થોડા સમય પહેલા નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ એક ફિલ્મ પછી ક્રૂ મેમ્બર્સના લગભગ 3 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા. ફેડરેશને તેની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ના શૂટિંગ પહેલા તમામ સભ્યોને કામ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, પ્રોડક્શન કંપની અને ફેડરેશનના દબાણ હેઠળ ફિરોઝ નડિયાદવાલાને જૂનું બાકી લેણું ચૂકવવું પડ્યું હતું.

કાર્યવાહીનો અધિકાર: બંધારણ વિરુદ્ધ કામ કરવા પર ફેડરેશન કોઈપણ એસોસિએશન અથવા સભ્યને નોન-મેમ્બર જાહેર કરી શકે છે.

Leave A Comment