Sreelekha Mitra PM Modi Poster Controversy; BJP Keya Ghosh Files Police Complaint
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
બંગાળી એક્ટ્રેસ શ્રીલેખા મિત્રા વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વાંધાજનક પોસ્ટર પકડવા બદલ ઘણી ફરિયાદો નોંધાઈ છે. બંગાળના ભાજપ નેતા કેયા ઘોષે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને તેની સખત નિંદા કરી છે.
શ્રીલેખા પર આરોપ છે કે, શુક્રવારે તે કોલકાતામાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનનો ભાગ બની હતી. તે જ દિવસે તેની તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તે પીએમ નરેન્દ્ર મોદીનું એક અયોગ્ય પોસ્ટર પકડેલી જોવા મળી હતી.

આ વાંધાજનક પોસ્ટરની અધૂરી તસવીર છે, તેને આખી દેખાડી શકાય તેમ નથી.

એક્ટ્રેસ શ્રીલેખા વિરોધ પ્રદર્શનમાં પહોંચી હતી.
ફરિયાદ નોંધાવ્યા બાદ ભાજપ નેતા કેયા ઘોષે કહ્યું, ‘એક્ટ્રેસ શ્રીલેખાએ વિદ્યાર્થી આંદોલનના નામે આદરણીય વડાપ્રધાનજી માટે જે પોસ્ટર બતાવ્યા, તેની વિરુદ્ધ મેં આનંદપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે તેમની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. આ જે વિદ્યાર્થી આંદોલનના નામે ગુંડાગીરી થઈ, પત્રકારો પર હુમલાની ઘટના બની છે. મહિલા પત્રકારને પણ છોડવામાં આવી નથી. તેમની છેડતી કરવામાં આવી. અહીં આ જે વામપંથી એક્ટ્રેસ છે, વડાપ્રધાન વિરુદ્ધ એટલું હલકું એટલું ગંદું પોસ્ટર બતાવી રહી છે, જે હું અહીં બતાવી પણ શકતી નથી.’

ફરિયાદની નકલ બતાવતી ભાજપ નેતા કેયા ઘોષ.
એક્ટ્રેસે સ્પષ્ટતા કરી
ફરિયાદો નોંધાયા બાદ રવિવારે એક્ટ્રેસે સ્પષ્ટતા કરી છે. ટેલિગ્રાફ ઇન્ડિયા અનુસાર એક્ટ્રેસે કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે મારી વિરુદ્ધ ઘણી ફરિયાદો થઈ છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વિરોધ પ્રદર્શનમાં ખૂબ ભીડ હતી. એટલી કે હું ધ્યાનથી પોસ્ટર પણ જોઈ શકી નહીં. મોટાભાગની મહિલાઓ કોઈ પુરુષના શરીરના નીચલા ભાગ પર ધ્યાન જ નથી આપતી. મેં મોદીજીનું એક કેરિકેચર જોયું, જેમાં તેમણે પોતાના હાથ ફેલાવ્યા હતા. મને તે મજેદાર લાગ્યું. આ ઉપરાંત મેં બીજું કંઈ નોટિસ કર્યું નહીં.’
તેણે આગળ કહ્યું, ‘તે પોસ્ટરો કોઈ બીજાએ બનાવ્યા હતા. મેં તો બસ તેમાંથી એક પોસ્ટર જોયું અને તેની સાથે ફોટો પડાવ્યો. જો તેઓ આ માટે મને ધરપકડ કરવા માંગતા હોય, તો કરી લે. ભલે મને ફાંસી પર પણ ચડાવી દે. અને જો આવું થયું, તો મને પૂરો ભરોસો છે કે તેની વિરુદ્ધ એક વધુ મોટો વિરોધ પ્રદર્શન થશે. સરકારે તેના માટે તૈયાર રહેવું જોઈએ.’
આનંદપુર ઉપરાંત શ્રીલેખા મિત્રા વિરુદ્ધ બિદાનનગરની સાયબર પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે. આનંદપુર પોલીસ સ્ટેશનમાં આનંદપુર પીએસ કેસ નંબર 302, તારીખ 26.07.2026 ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 352, 353(2) અને 356(3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલાની તપાસ ચાલુ છે.
મલયાલી ફિલ્મમેકર વિરુદ્ધ નોંધાવી હતી હેરેસમેન્ટની ફરિયાદ
આ પહેલા બંગાળી એક્ટ્રેસ શ્રીલેખા, મલયાલી ડિરેક્ટર રણજીત વિરુદ્ધ યૌન શોષણની ફરિયાદ નોંધાવવા પર ચર્ચામાં રહી હતી. એક્ટ્રેસે હેમા રિપોર્ટ આવ્યા પછી ફરિયાદમાં દાવો કર્યો કે, 2009માં રણજીતે ફિલ્મ આપવાના બહાને ઘરે બોલાવી અને હેરેસ કરી હતી.

કોણ છે શ્રીલેખા મિત્રા
- શ્રીલેખા મિત્રા બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. તે તેના સ્પષ્ટ સ્વભાવ, સામાજિક-રાજકીય મુદ્દાઓ પર ખૂલીને અભિપ્રાય વ્યક્ત કરવા અને ફિલ્મોમાં દમદાર અભિનય માટે જાણીતી છે.
- શ્રીલેખાએ 1990ના દાયકામાં બંગાળી ફિલ્મો અને ટીવી ધારાવાહિકોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
- તે ઘણા લોકપ્રિય બંગાળી ટીવી શોમાં પણ જોવા મળી ચૂકી છે.
- શ્રીલેખા કાંતાતર ‘રેનકોટ’, ‘અશ્ચર્ય પ્રદીપ’, ‘બોંગ કનેક્શન’, ‘નિર્બાસિત’, ‘રેઈન્બો જેલી’, ‘વન્સ અપોન અ ટાઈમ ઇન કોલકાતા’ જેવી ફિલ્મોનો ભાગ રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


