Aamir Khan Exits Ashneer Grover Biopic
5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર આમિર ખાન ‘ભારતપે’ના પૂર્વ કો-ફાઉન્ડર અને બિઝનેસમેન અશ્નીર ગ્રોવરની બાયોપિકમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મના ડિરેક્ટર રાહુલ મોદી સાથે ક્રિએટિવ ડિફરન્સને કારણે આમિરે આ પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય કર્યો છે.
પહેલા સમાચાર હતા કે, આમિર આ ફિલ્મમાં અશ્નીર ગ્રોવરની ભૂમિકા ભજવવાના હતા. તેની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતી. આમિરના ફિલ્મ છોડવા છતાં મેકર્સ આ પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખશે. હવે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી અશ્નીરના રોલ માટે કોઈ એક્ટરની શોધ કરી રહ્યા છે.

આમિર આ ફિલ્મમાં અશ્નીર ગ્રોવરનું પાત્ર ભજવવાનો હતો.
ક્રિએટિવ ડિફરન્સને કારણે આમિર અલગ થયો આમિર ખાનને સ્ટાર્ટઅપ્સની દુનિયા ખૂબ પસંદ છે. તે અશ્નીર ગ્રોવરની બાયોપિકને લઈને ખૂબ ઉત્સુક હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર તેણે પોતે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું અને તેને પોતાના હિસાબે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો. જોકે, સ્ક્રિપ્ટ અને ફિલ્મના ડિરેક્શનને લઈને ડિરેક્ટર રાહુલ મોદી અને આમિરના વિચારો અલગ હતા. સતત વાતચીત પછી પણ જ્યારે સંમતિ ન બની, ત્યારે આમિરે પોતાને આ પ્રોજેક્ટથી અલગ કરી લીધો.
મેકર્સને નવા યંગ એક્ટરની શોધ આમિર ખાનના હટ્યા પછી પણ બાયોપિક પર કામ બંધ થયું નથી. ડિરેક્ટર રાહુલ મોદી અને એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. હવે મેકર્સ અશ્નીર ગ્રોવરના રોલ માટે કોઈ યુવા એક્ટરની શોધ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, મેકર્સની ઇન્ડસ્ટ્રીના બે થી ત્રણ મોટા યુવા એક્ટર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં મુખ્ય પાત્રના નામ પર મહોર લાગી શકે છે.

‘ભારતપે’ના પૂર્વ કો-ફાઉન્ડર અને બિઝનેસમેન અશ્નીર ગ્રોવર.
ફિલ્મમાં એક્ટિંગની સાથે પ્રોડક્શન પણ સંભાળશે શ્રદ્ધા આ બાયોપિકમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે ફિલ્મમાં અશ્નીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરનું પાત્ર ભજવી શકે છે. આ ઉપરાંત, શ્રદ્ધા કપૂર એક મોટા સ્ટુડિયો સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે. એક્ટર અને પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મ શ્રદ્ધાના કરિયરનો મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહી છે.

માર્ચ 2027માં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું પ્રારંભિક યોજના મુજબ, આ ફિલ્મનું શૂટિંગ માર્ચ 2027માં શરૂ થવાનું હતું. આમિર ખાન ડિરેક્ટર આશુતોષ ગોવારિકર સાથે તેમની પીરિયડ ડ્રામા ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી આ બાયોપિકનું કામ શરૂ કરવાના હતા. જોકે, હવે કાસ્ટિંગમાં ફેરફાર થયા પછી શૂટિંગ શેડ્યૂલ પર પણ અસર પડી શકે છે.

અશ્નીર ગ્રોવર કોણ છે? અશ્નીર ગ્રોવર દેશના જાણીતા બિઝનેસમેન અને ‘ભારતપે’ના પૂર્વ કો-ફાઉન્ડર છે. દિલ્હીના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અશ્નીરે IIT દિલ્હીમાંથી B.Tech અને IIM અમદાવાદમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2018માં તેમણે ‘ભારતપે’ની શરૂઆત કરી, જેણે નાના દુકાનદારો માટે સિંગલ QR કોડથી પેમેન્ટ સરળ બનાવ્યું.
વર્ષ 2021માં રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ની પ્રથમ સીઝનમાં જજ તરીકે દેખાયા પછી તેઓ ઘરે ઘરે લોકપ્રિય બન્યા. તેમની સ્પષ્ટ શૈલી, પુસ્તક ‘દોગલાપન’ અને બાદમાં ભારતપેમાંથી વિવાદાસ્પદ વિદાયને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહ્યા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


