Anurag Dobhal Suicide Attempt; YouTuber Recovering After Hospital Discharge

Last Updated: March 20, 2026By

11 કલાક પેહલા

  • કૉપી લિંક

યુટ્યુબર અને ‘બિગ બોસ 17’ ફેમ અનુરાગ ડોભાલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન યુટ્યુબરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અનુરાગ પોતાના એક મિત્રના ફાર્મહાઉસ પર રિકવર કરી રહ્યો છે.

ગુરુવારે તેણે પોતાની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી. આ સાથે જ તેણે ફેન્સ પાસેથી સલાહ માંગી કે, શું તેને પોતાની ‘નવી જિંદગી’ના વ્લોગ્સ ફરીથી શરૂ કરવા જોઈએ.

યુટ્યુબરે એક લાંબી પોસ્ટમાં લખ્યું કે, 'ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવતો રહીશ.'

યુટ્યુબરે એક લાંબી પોસ્ટમાં લખ્યું કે, ‘ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવતો રહીશ.’

કમર પર ટાંકા અને ઇજાના નિશાન

અનુરાગે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેની કમર પર લાગેલો એક લાંબો ઘા અને ટાંકા દેખાઈ રહ્યા છે. અકસ્માતને કારણે તેના શરીર પર ઉઝરડાના નિશાન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

તેણે એક પોલ દ્વારા ચાહકોને પૂછ્યું કે, ‘નવી જિંદગીની શરૂઆત જોશો?’ આ પોલમાં તેણે બે વિકલ્પો આપ્યા- ‘હા, વ્લોગ અને ઇન્સ્ટા શરૂ કરો’ અને ‘જેમ તમને યોગ્ય લાગે.’

અનુરાગે વ્લોગિંગ અંગે ચાહકોનો મત પૂછ્યો.

અનુરાગે વ્લોગિંગ અંગે ચાહકોનો મત પૂછ્યો.

મેનેજર બોલ્યો- ‘અનુરાગ હવે સુરક્ષિત’

અનુરાગના મેનેજર રોહિત પાંડેએ જણાવ્યું કે, યુટ્યુબર હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. તે એક મિત્રના ફાર્મહાઉસ પર છે, જ્યાં તેની સંભાળ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. મેનેજરે કહ્યું, ‘અનુરાગ હવે સ્થિર છે અને રિકવર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમે તે બધાના આભારી છીએ, જેમણે મુશ્કેલ સમયમાં સાથ આપ્યો.’

મેનેજર રોહિત પાંડે આ મુશ્કેલ ઘડીમાં સતત અનુરાગની સાથે ઊભો રહ્યો હતો.

મેનેજર રોહિત પાંડે આ મુશ્કેલ ઘડીમાં સતત અનુરાગની સાથે ઊભો રહ્યો હતો.

ICUમાંથી બહાર આવ્યા પછી કહ્યું- ‘આ એક ચમત્કાર છે’

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા પહેલા અનુરાગે એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. તેણે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો રહીશ. જે રસ્તે હું ગયો હતો, ત્યાંથી પાછા ફરવું અશક્ય હતું. મારા માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. મને ખબર નથી કે આગળ શું થશે, પરંતુ ભગવાને મને નવો જન્મ આપ્યો છે, તો કંઈક તો જરૂર વિચાર્યું હશે.’

અનુરાગે લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અનુરાગે લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

આંતર-જ્ઞાતિય લગ્ન બન્યા વિવાદનું કારણ

વિવાદ માર્ચના પહેલા અઠવાડિયામાં શરૂ થયો હતો, જ્યારે અનુરાગે તેના માતા-પિતા અને ભાઈ કલમ ઇન્ક (અતુલ ડોભાલ) પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તેના આંતર-જ્ઞાતિય લગ્નને કારણે પરિવાર તેની પત્ની રીતિકાને ઘરમાં પ્રવેશવા દેતો નથી.

આ તણાવ વચ્ચે, 7 માર્ચે અનુરાગ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ઇન્સ્ટાગ્રામ લાઇવ આવ્યો હતો. લાઇવ દરમિયાન તેની કારની સ્પીડ 140-150 કિલોમીટર પ્રતિ કલાક હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. બીજી તરફ, તેના ભાઈ કલમ ઇન્કે આ આરોપોને ખોટા ગણાવ્યા અને દાવો કર્યો કે અનુરાગના દાવાઓને કારણે તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.