Bangladesh Election 2026 News: મોહમ્મદ યુનુસના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો શું સત્તા પુનરાવર્તન માટે કરશે મદદ, જાણો શું કહે છે નિષ્ણાંતો?

Last Updated: February 8, 2026By

મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની ચીન અને પાકિસ્તાન સાથે વધતી નિકટતા અને ભારતથી અંતર ચિંતાનો વિષય છે.

ચૂંટણીઓ બની ચર્ચાનો વિષય

ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશ 12 ફેબ્રુઆરીએ પ્રથમ ચૂંટણી યોજશે. બાંગ્લાદેશમાં ચૂંટણીઓ ફક્ત બાંગ્લાદેશના ભવિષ્યને જ નહીં પરંતુ દક્ષિણ એશિયાના રાજકીય સંતુલન અને રાજકીય દ્રશ્યને પણ નક્કી કરશે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના વચગાળાની સરકારે ચીન અને પાકિસ્તાન સાથે મિત્રતા વધારી છે અને ભારતથી પોતાને દૂર રાખ્યા છે.

બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધોમાં ખટાશ

બાંગ્લાદેશની ચૂંટણીઓ નક્કી કરશે કે નવી સરકાર યુનુસની નીતિને અનુસરે છે કે નહી. જેમ કે BNP પ્રમુખ તારિક રહેમાને વચન આપ્યું છે કે, ન તો દિલ્હી કે ન તો રાવલપિંડી,,, બાંગ્લાદેશ પહેલા. આનો અર્થ એ છે કે, જો BNP સરકાર બનાવે છે, તો બાંગ્લાદેશ સરકારની પ્રથમ પ્રાથમિકતા પાકિસ્તાન કે ભારત નહીં, પરંતુ બાંગ્લાદેશ હશે. ભારતની પણ બાંગ્લાદેશની ચૂંટણીઓ પર નજર છે.

બાંગ્લાદેશના ચીન સાથેના સંબંધો સુધર્યા

યુનુસ સરકારે વારંવાર શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને અપીલ કરી હતી. પરંતુ ભારતે તેમને નકારી કાઢ્યા હતા. આનાથી યુનુસ સરકાર નારાજ છે. જ્યારે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશે હસીનાના શાસનકાળમાં ચીન સાથે મજબૂત વેપાર અને સંરક્ષણ સંબંધો જાળવી રાખ્યા હતા. અને નવી દિલ્હી ઢાકાનું સૌથી મોટું ભાગીદાર હતું. યુનુસના શાસનકાળમાં આ બદલાઈ રહ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર ચીન અને પાકિસ્તાનની નજીક આવી છે. ખરેખર, બાંગ્લાદેશ હવે ચીનની વ્યૂહાત્મક વિચારસરણીનું કેન્દ્ર બન્યુ છે.

શું ચૂંટણી પછી સંબંધો બદલાશે?

વિશ્લેષકોનું કહેવું છે કે, ચૂંટણી પછી બંને પક્ષો વ્યવહારિક બનવાની શક્યતા છે. નવી દિલ્હી અને ઢાકા બંને બગડતા સંબંધોને ઉકેલવા નહીં દેવાની કિંમતથી સંપૂર્ણપણે વાકેફ છે અને તેમણે તે માટે પ્રયાસો શરૂ કર્યા છે. દરમિયાન, ઢાકાએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનું પણ શરૂ કર્યું છે. એક દાયકાથી વધુ સમય પછી જાન્યુઆરીમાં સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે. નિષ્ણાતો કહે છે કે નવી સરકાર નવી દિલ્હી સાથેના સંબંધોને નબળા પાડ્યા વિના ઇસ્લામાબાદ સાથેના સંબંધોને સામાન્ય બનાવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ સૂર્યમાંથી નીકળતી સૌર જ્વાળાઓની શ્રેણી રેડિયો બ્લેકઆઉટનું બની શકે છે કારણ