Bangladesh Election Result 2026: Sheikh Hasinaના આ ગઢની 3 બેઠકો પર કેમ ન આવ્યા પરિણામ, જાણો શું છે મામલો?
ચૂંટણી પંચે 3 બેઠકના પરિણામ રોક્યા છે. ECએ જણાવ્યુ છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કાર્યવાહી કરાઇ છે.
ચૂંટણીમાં થયા આરોપ-પ્રતિઆરોપ
બાંગ્લાદેશ ચૂંટણી પંચે નેશનલ એસેમ્બલીની 297 બેઠક પર પરિણામ જાહેર કર્યા છે. અને 3 બેઠકના પરિણામ રોક્યા છે. આ ત્રણ બેઠક શેખ હસીનાના ગઢ માનવામાં આવતા વિસ્તારની બેઠકો છે. આ ત્રણ બેઠકો ચટગાંવ-4, ચટગાંવ-2 અને શેરપુર-3ની બેઠકો છે. ECએ કહ્યુ હતુ કે, કાયદાકીય ગુંચવણના કારણે 3 બેઠકના પરિણામ જાહેર થયા નથી. તારિક રહેમાનની બીએનપીને 209 બેઠક પર જીત મળી છે. જમાત-એ-ઇસ્લામી બીજા ક્રમે રહી છે. આવામી લીગ આ વખતે ચૂંટણીમાંથી બહાર હતી.
કેમ રોકવામાં આવ્યા પરિણામ ?
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના આદેશના કારણે આ 3 બેઠકના પરિણામ જાહેર કરાયા નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ 3 બેઠકના પરિણામ જાહેર ન કરવા માટે જણાવ્યુ છે. ચટગાંવ-4 પર બીએનપી ઉમેદવાર અસલમ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે સુપ્રીમ કોર્ટે આ બેઠક પર કોઇ પરિણામ જાહેર કરવા કહ્યુ નથી. ચટગાંવ-2 અને શેરપુર-3ની બેઠકનો પણ એક જેવો મામલો છે.
ત્રણ બેઠક શેખ હસીનાનો ગઢ
1. ચટગાંવ-4 બેઠક પર હમણા સુધી 10 વખત ચૂંટણી કરાવવામાં આવી છે. આ ચૂંટણીમાં 10માંથી 8 વખત આવામી લીગ અને 1 વાર જાતીય પાર્ટીની જીત થઇ હતી. બીએનપી અહીથી માત્ર એકવાર જીતી છે.
2. ચટગાંવ-2 બેઠકનો પણ આ જ હાલ છે. આ બેઠક પણ શેખ હસીનાએ જ જીતી છે. ચટગાંવ-2માં ‘ના’ ના પક્ષમાં સૌથી વધુ વોટ પડ્યા હતા.
3. શેરપુર-3 બેઠક પણ આવામી લીગનો ગઢ માનવામાં આવે છે. અહીં પણ સૌથી વખત શેખ હસીનાએ જીત મેળવી છે.
આ પણ વાંચોઃ એપ્રિલ મહિનામાં Xi Jinping સાથે Donald Trump કરશે મુલાકાત, બન્ને દેશની રાણનીતિ પર વિશ્વની નજર
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

