Bangladesh News: ચૂંટણી બાદ સક્રિય થયા આવામી લીગના કાર્યાલયો, શું શેખ હસીનાની થશે વાપસી?

Last Updated: February 22, 2026By

મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર બન્યા પછી આવામી લીગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો

શેખ હસીનાની વાપસી અંગે અટકળો તેજ

શું બાંગ્લાદેશમાં પવન બદલાઈ રહ્યો છે? બાંગ્લાદેશની ચૂંટણીમાં બીએનપીની જીત બાદ આવામી લીગના કાર્યાલયો ફરી ખુલી રહ્યા છે. બાંગ્લાદેશમાં આવામી લીગના અનેક કાર્યાલયો ફરી ખુલી ગયા છે, અથવા બંધ કાર્યાલયો ફરીથી ખોલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે શું હસીના બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ રહી છે. જેમ જેમ આવામી લીગ એક પછી એક કાર્યાલયો ખોલી રહી છે, તેમ તેમ તેના કાર્યકરોની સક્રિયતા વધી ગઈ છે.

યુનુસ સરકારમાં આવામી લીગ પર પ્રતિબંધ

2024માં વિદ્યાર્થી પાંખ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કારણે, આવામી લીગ ચૂંટણીમાં ભાગ લઈ શકી ન હતી. એક પછી એક આવામી લીગની ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી અને સળગાવી દેવામાં આવી. ઢાકામાં જ્યાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાન તેમના પરિવાર સાથે રહેતા હતા તે ઘર પણ તોડફોડ કરવામાં આવ્યું. જોકે, બાંગ્લાદેશની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી અને તારિક રહેમાનના વડા પ્રધાન તરીકે બીએનપી સરકાર બન્યા પછી, આવામી લીગના નેતાઓ અને કાર્યકરોએ ઢાકા સહિત અનેક જિલ્લાઓ અને ઉપ-જિલ્લાઓમાં પાર્ટી ઓફિસો ખોલી હતી.

બાંગ્લાદેશમાં આવામી લીગ ફરીથી સક્રિય!

આટલા લાંબા સમયથી છુપાયેલો પક્ષ અચાનક કેમ સક્રિય થઈ ગયો છે તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અવામી લીગના સેન્ટ્રલ જોઈન્ટ જનરલ સેક્રેટરી બહાઉદ્દીન નસીમે મીડિયાને જણાવ્યું હતું કે, પાર્ટી ઓફિસ પર પ્રતિબંધ કે જપ્તી કરવામાં આવી નથી. પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને સમર્થકો પર ત્યાં જવા પર કોઈ પ્રતિબંધ નથી. કોઈ ઓર્ડર કે કરાર નથી. કાર્યકરો અને સમર્થકો પાર્ટી ઓફિસની મુલાકાત લેશે; તે સ્વાભાવિક છે.

આ પણ વાંચોઃ Hong Kong Fire Incident Case: સરકાર પીડિતોના 1700 બળી ગયેલા ફ્લેટ ખરીદશે, 4600 ભાડૂતો માટે વિનિમય યોજના