BCCI Secretary: Referees Call on Player Push

Last Updated: June 18, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા

  • કૉપી લિંક

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ ગુરુવારે જણાવ્યું કે શ્રીલંકા Aના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર શું કાર્યવાહી થવી જોઈએ, તેનો નિર્ણય લેવાનો અધિકાર મેચ રેફરી પાસે છે. BCCI તેમાં કોઈ દખલ નહીં આપે. સૈકિયાએ કહ્યું,

QuoteImage

આવી ઘટનાઓ રમતમાં બનતી રહે છે. આ માટે પહેલેથી જ સિસ્ટમ છે. તે જ સિસ્ટમનું પાલન કરવામાં આવશે. આમાં અમારી કોઈ ભૂમિકા નથી.

QuoteImage

15 જૂને દાંબુલામાં શ્રીલંકા-Aએ ભારત Aને ટ્રાઈ સીરીઝની મેચમાં હરાવ્યું હતું. મેચનો નિર્ણય સુપર ઓવરમાં થયો હતો. સુપર ઓવર પછી વૈભવની શ્રીલંકાના ખેલાડીઓ સાથે દલીલ થઈ હતી. આના પર વૈભવે શ્રીલંકાના વિશાન હલામ્બાગેને ધક્કો માર્યો હતો.

15 જૂનના રોજ રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ અને વૈભવ સૂર્યવંશી (3 નંબરની જર્સી).

15 જૂનના રોજ રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ અને વૈભવ સૂર્યવંશી (3 નંબરની જર્સી).

રેફરીએ દંડની ભલામણ કરી છે

ધક્કામુક્કીની આ ઘટના પર મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશન દ્વારા વૈભવ અને હલામબાગે પર મેચ ફીના 50-50% દંડની ભલામણ કરવામાં આવી છે. વૈભવને સ્લેજિંગ કરવા બદલ શ્રીલંકાના વિકેટકીપર નિરોશન ડિકવેલા પર 20% અને અમ્પાયર સાથે દલીલ કરવા બદલ ભારતીય કેપ્ટન તિલક વર્મા પર 30% દંડની ભલામણ પણ કરવામાં આવી હતી.

દંડની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી

આ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નહોતી. તેથી, મેચ રેફરીનો નિર્ણય સીધો લાગુ પડી શકે નહીં. રેફરી કાર્યવાહીની ભલામણ કરી શકે છે. રેફરીની ભલામણને અમલમાં મૂકવી કે નહીં તે નિર્ણય બંને ટીમના બોર્ડને કરવાનો હોય છે.

હવે જ્યારે BCCIએ આનાથી અંતર રાખ્યું છે, ત્યારે દંડ લાગશે કે નહીં તે શ્રીલંકા બોર્ડ પર નિર્ભર છે. જો શ્રીલંકા બોર્ડ પણ BCCIની જેમ આ વલણ અપનાવે કે રેફરીનો નિર્ણય જ માન્ય રહેશે, તો વૈભવ અને અન્ય ખેલાડીઓ પર દંડ લાગી જશે.

બોર્ડ રેફરીના અધિકારક્ષેત્રમાં દખલ નહીં આપે

સૈકિયાએ કહ્યું કે સોશિયલ મીડિયા પર ઘણી વાતો ચાલી રહી છે. આ યોગ્ય નથી. શું તમે ઈચ્છો છો કે BCCI મેચ રેફરીના અધિકારક્ષેત્રમાં દખલ આપે? BCCI એવી કોઈ ઓથોરિટી નથી કે જેને તે ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ, જ્યાં મેચ રેફરી અને અમ્પાયર નિર્ણય લેવા માટે નિયુક્ત છે. મેદાન પર જે કંઈ પણ થયું, તેના પર નિર્ણય લેવાનો અધિકાર તેમની પાસે જ છે.

વૈભવને શું કહ્યું હતું શ્રીલંકાના ખેલાડીએ

વિશન હલમબાગેએ વૈભવ પર ટિપ્પણી કરી હતી. હલમબાગેએ વૈભવને કહ્યું, આ IPL નથી, મેચ પૂરી… હવે તું ઘરે જા. આ ટિપ્પણી પર સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો. આ પછી બંને ખેલાડીઓ સામસામે આવી ગયા અને સ્થિતિ ગંભીર બની ગઈ.

જોકે, મેદાન પર હાજર બંને ટીમના બાકીના ખેલાડીઓએ વચ્ચે પડીને બંનેને એકબીજાથી અલગ કર્યા. ટુર્નામેન્ટની શરૂઆતથી જ કેટલાક શ્રીલંકાના ખેલાડીઓ સૂર્યવંશી પર સતત સ્લેજિંગ કરી રહ્યા હતા.

———————-

વૈભવના વિવાદ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ખેલાડીને ધક્કો માર્યો હતો, હવે વૈભવ સૂર્યવંશી પર એક્શન:શ્રીલંકન ખેલાડી સાથે સુપર ઓવર બાદ થયો હતો વિવાદ, તિલક પર પણ દંડની ભલામણ

શ્રીલંકન A ટીમના ખેલાડીને ધક્કો મારવાના મામલામાં વૈભવ સૂર્યવંશી પર દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. 15 જૂનના રોજ દાંબુલામાં રમાયેલી આ મેચ ટાઈ થઈ હતી. શ્રીલંકન ટીમે સુપર ઓવરમાં ઈન્ડિયા-Aને હરાવ્યું હતું. આ દરમિયાન વૈભવની શ્રીલંકન ખેલાડી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો