Bollywood Brief Update; Court Rejects Salman Khan Plea Amitabh Bachchan Insomnia Karnataka Guidelines On Cadaver Photos
- Gujarati News
- Entertainment
- Bollywood Brief Update; Court Rejects Salman Khan Plea Amitabh Bachchan Insomnia Karnataka Guidelines On Cadaver Photos
7 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ બ્રીફમાં જાણો મનોરંજન જગત સાથે જોડાયેલા તે સમાચાર જે ચર્ચામાં રહ્યા…
સલમાન ખાન વિરુદ્ધ ‘કાલા હિરણ’ ફિલ્મ વિવાદ
દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેન્ચે સલમાન ખાનની અરજી પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ મધુ જૈનની બેન્ચે સલમાનની લીગલ ટીમને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ફિલ્મ મેકર્સને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો સોંપે, જેથી તેઓ પોતાનો જવાબ તૈયાર કરી શકે. હવે આ મામલાની આગામી સુનાવણી 1 જુલાઈના રોજ થશે.
સલમાન ખાને પોતાની અરજીમાં ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી’ની રિલીઝ રોકવાની માંગ કરી છે. તેનો આરોપ છે કે, આ ફિલ્મ તેની પરવાનગી વિના તેના 1998ના કાળા હરણ શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે જોડાયેલા વિવાદો પર બનાવવામાં આવી રહી છે.

‘કાલા હિરણ’ ફિલ્મનું ડિરેક્શન ભરત એસ શ્રીનેતે કર્યું છે.
કામના તણાવને કારણે અમિતાભ બચ્ચન ઊંઘી શકતા નથી
બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચને તેમના તાજેતરના બ્લોગમાં કામના દબાણ અને અનિદ્રાની સમસ્યા વિશે વાત કરી છે. 83 વર્ષની ઉંમરે પણ તેઓ સતત ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. શુક્રવારે સવારે લખેલા બ્લોગમાં તેમણે જણાવ્યું કે, કામ પૂરું કર્યા પછી તેમને લાગ્યું કે તેને વધુ સારી રીતે કરી શકાયું હોત. પરવાનગી મળતાં તેમણે ફરીથી કામ કર્યું.
આ જ મૂંઝવણમાં તેઓ આખી રાત ઊંઘી શક્યા નહીં અને સવાર પડી ગઈ. અમિતાભે લખ્યું કે, ’24 કલાકનો સમય ખૂબ ઓછો લાગે છે, દિવસને વધારીને 36 કલાકનો કરી દેવો જોઈએ.’ તેઓ હાલમાં નાગ અશ્વિનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ના સિક્વલની તૈયારીમાં વ્યસ્ત છે, જે ડિસેમ્બર 2027માં રિલીઝ થશે.

અમિતાભ બચ્ચન હાલમાં ‘કલ્કિ 2898 AD’ની સિક્વલની શૂટિંગમાં વ્યસ્ત છે.
‘370ની બિરયાની’ વિવાદ બાદ કર્ણાટક સરકારનો નિર્ણય
કોમેડિયન પ્રણીત મોરેના એક સ્ટેન્ડઅપ શો દરમિયાન દર્શકોના બે જોક્સ પર મોટો વિવાદ ઊભો થયો છે. શોમાં વેબ ડેવલપર હિમાંશુ જાંગડાએ ‘₹370ની બિરયાની’ અને મેડિકલ સ્ટુડન્ટ સેજલ પવારે પુરુષ મૃતદેહોના અંગોને લઈને મજાક ઉડાવ્યો હતો, જેની સોશિયલ મીડિયા પર સખત ટીકા થઈ હતી.

હિમાંશુ જાંગડા અને સેલજ પવારને લીધે કોમેડિયન પ્રણીત મોરેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ વિવાદ બાદ કર્ણાટકના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર ડૉ. શરણ પ્રકાશ પાટીલે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર હવે મેડિકલ કોલેજોમાં અભ્યાસ અને સંશોધન માટે દાન કરવામાં આવતા મૃતદેહો (કેડેવર) ના સન્માન અને ગરિમા જાળવી રાખવા માટે દેશની પ્રથમ વ્યાપક ગાઈડલાઈન જાહેર કરશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


