Donald Trump & China Threat; Indian Share Market Crash Warning

Last Updated: September 15, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતીય શેરબજારમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. દરરોજ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે પણ શેરબજાર ઘટીને બંધ થયું હતું અને ગઈકાલે પણ તેમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. આ ઘટાડા પાછળનું એક મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

શેરબજારોમાં મોટા ઘટાડાના સંકેત

આ દરમિયાન, યુબીએસ ઇન્વેસ્ટમેન્ટ બેંકના મુખ્ય વૈશ્વિક વ્યૂહરચનાકાર ભાનુ બાવેજાએ મોટા ખતરાની ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે ચીનની માગમાં ભારે ઉછાળો અને હોર્મુઝથી ઓઈ સપ્લાયમાં અવરોધને કારણે ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. જો આવું થયું તો શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ભારતીય બજારમાં તેની અસર વધુ દેખાઈ શકે છે, કારણ કે ભારત ઊર્જા માટે અન્ય દેશો પર નિર્ભર છે.

બાવેજાએ એક તર્ક રજૂ કરતા કહ્યું કે શરૂઆતમાં જ્યારે હોર્મુઝ બંધ થયું હતું ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઓઈલની કિંમતો 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે, પરંતુ આવું થયું નહીં અને તે લાંબા સમય સુધી 120 ડોલર સુધી પણ ટકી શકી નહીં. તેનું એક મહત્વપૂર્ણ કારણ ચીન હતું.

ફરી માર્કેટમાં આવ્યું ચીન

આ વર્ષની શરૂઆતમાં ચીન ઓઈલ ખરીદી રહ્યું ન હતું, જેનો અર્થ હતો કે અવરોધ હોવા છતાં ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો ન હતો. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે ચીન ફરીથી બજારમાં આવી ગયું છે. ઓઈલની કિંમતોમાં ઘટાડાની રાહ જોતા ખરીદી ટાળનારી એરલાઇન્સ અને અન્ય કંપનીઓ પણ હવે ખરીદદાર તરીકે પાછી ફરી શકે છે. જ્યારે પુરવઠો હજુ પણ મર્યાદિત છે, જેનો અર્થ છે કે ઓઈલની કિંમતો ઉપર જવાનું નિશ્ચિત દેખાઈ રહ્યું છે.

જોખમમાં 14 મિલિયન બેરલ ઓઈલ

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, બાવેજાએ જણાવ્યું હતું કે હોર્મુઝમાંથી દરરોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને અન્ય ઉત્પાદનો પસાર થતા હતા, પરંતુ બંધ થયા પછી ગુપ્ત રીતે જહાજો પસાર થઈ રહ્યા છે અને તે માત્ર એક તૃતીયાંશ એટલે કે લગભગ 6 મિલિયન બેરલ જ પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, 14 મિલિયન બેરલ ઓઈલ હજુ પણ આ માર્ગેથી આવી શકતું નથી.

આ કારણે બજારમાં ઘણું દબાણ આવી શકે છે. તેમણે આગળ કહ્યું કે આ અવરોધ એક એવું જોખમ છે, જેના વિશે દરેક ભારતીય અને વૈશ્વિક બંને બજારોના રોકાણકારોને ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. બીજો ફેરફાર એ છે કે બજારને એવો અહેસાસ થવા લાગ્યો છે કે અમેરિકી પ્રશાસન એકલા આ અવરોધને હલ કરી શકશે નહીં. જોકે, બજારો પર દબાણ આવતા વ્હાઇટ હાઉસ માટે ટેરિફ અથવા અન્ય નીતિઓને ઉલટાવવું સરળ બની શકે છે.

બજાર સ્થિર પણ થઈ શકે છે

નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે શેરબજાર હાલમાં બરાબર ચાલી રહ્યું છે, પરંતુ એક ડર પ્રવર્તી રહ્યો છે. ઓઈતેલના ભાવમાં ઉછાળાથી વિપરીત, બજારમાં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યારે શેર અને કરન્સીમાં અસ્થિરતા તેના સૌથી નીચા સ્તરની નજીક છે.

મોંઘવારીનું સંકટ

ઓઈલના ભાવમાં ઉછાળાથી માત્ર ઇંધણના ભાવ જ નહીં વધે, પરંતુ નેફ્થા અને ખાતરનો વધતો ખર્ચ પણ ઝડપથી વધી શકે છે અને ખાતરની વધતી કિંમતો થોડા સમય પછી ખાદ્ય ફુગાવામાં ફેરવાઈ શકે છે. નિષ્ણાતોએ કહ્યું કે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ઓઈલ મોંઘું થવું સારું નથી. તેમણે કહ્યું કે જો આવી જ સ્થિતિ રહી તો ટૂંક સમયમાં કિંમતો વધુ વધી શકે છે.

(નોંધ: કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની મદદ લો.)

———————————

આ સમાચાર પણ વાંચો:

શું હવે UPI થી પેમેન્ટ કરવા પર ખિસ્સું ખાલી થશે?:₹2,000 સુધીના UPI અને RuPay પેમેન્ટ પર બેંકો નહીં વસૂલી શકે ચાર્જ: કેન્દ્ર સરકારની મોટી સ્પષ્ટતા

નાણા મંત્રાલયે સોમવારે યુપીઆઈ પેમેન્ટ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. સરકારે કહ્યું કે ₹2,000 સુધીના યુપીઆઈ પેમેન્ટ પર બેંક અથવા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ફી લગાવી શકશે નહીં. રૂપે ડેબિટ કાર્ડ દ્વારા થતા પેમેન્ટને પણ આ દાયરામાં રાખવામાં આવ્યું છે. આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે યુપીઆઈ પર ફી લાગવાની ચર્ચા તેજ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment