SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ:હાથ મિલાવ્યા, વાતચીત કરી; મોદીએ કહ્યું- આતંકવાદના સમગ્ર તંત્રનો ખાત્મો જરૂરી

Last Updated: September 1, 2026By

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અચાનક મુલાકાત થઈ. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડીવાર વાતચીત કરી. બંને વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠક પહેલાથી નક્કી નહોતી. બંને નેતાઓ SCO સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ બંને નેતાઓ સાથે જોવા મળ્યા. SCO સમિટમાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ કાર્યવાહીની જરૂરિયાત જણાવી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે બેવડો અભિગમ ન હોવો જોઈએ. મોદીએ કહ્યું કે આતંકવાદને નીતિના સાધન તરીકે ઉપયોગ કરનારા અને આતંકવાદીઓને આશ્રય આપનારા દેશોને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી છે. તેમણે આતંકવાદના સમગ્ર તંત્રને ખતમ કરવા પર ભાર મૂક્યો. SCO સમિટના બીજા દિવસની તસવીરો… PM મોદીના SCO ભાષણની મુખ્ય વાતો…. 1. આતંકવાદને જડમૂળથી ખતમ કરવો જરૂરી માત્ર આતંકવાદીઓને પકડવા કે મારવા પૂરતું નથી. તેમને પૈસા કોણ આપે છે, ભરતી કેવી રીતે થાય છે અને ક્યાં છુપાય છે, આ આખા નેટવર્કને ખતમ કરવું પડશે. 2. આતંકવાદ મામલે બધા દેશો એકસાથે રહે કેટલાક દેશો માટે આતંકવાદ ખોટો અને કેટલાક માટે સાચો ન હોઈ શકે. બધાએ આતંકવાદ વિરુદ્ધ એકસરખી કડક નીતિ અપનાવવી પડશે. 3. યુદ્ધનો ઉકેલ વાતચીતથી નીકળે પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર દૂર દૂર સુધી પહોંચે છે. દેશો વચ્ચે વિવાદ થાય ત્યારે યુદ્ધ કરવાને બદલે વાતચીત અને કૂટનીતિથી રસ્તો કાઢવો જોઈએ. 4. SCO સંસ્કૃતિ અને વિચારોને જોડવાનું મંચ મોદીએ કહ્યું કે ભારત માટે SCO અલગ-અલગ દેશોની સભ્યતા, સંસ્કૃતિ અને વિચારોને જોડનારું મંચ પણ છે. SCO સમિટ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…

Leave A Comment