Sourav Ganguly ICC Hall of Fame; 12th Indian Cricketer

Last Updated: July 8, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા

  • કૉપી લિંક

ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની જાહેરાત 11 જુલાઈએ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં થશે. ગાંગુલી હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર ભારતના 12મા ક્રિકેટર હશે.

54મા જન્મદિવસ પર ગાંગુલીને આ મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. આ જ દિવસે તેમની બાયોપિક ‘દાદા- ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો, જેમાં અભિનેતા રાજકુમાર રાવ 2002ની નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ લૉર્ડ્સની બાલ્કનીમાં જર્સી લહેરાવતા જોવા મળ્યા. પોસ્ટર શેર કરતા ગાંગુલીએ તેને પોતાના માટે સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી.

સૌરવ ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો.

સૌરવ ગાંગુલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો.

2000માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી

મેચ ફિક્સિંગ વિવાદ બાદ 2000માં ગાંગુલીએ ભારતીય ટીમની કપ્તાની સંભાળી. તેમણે વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ અને બાદમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો.

તેમની કપ્તાનીમાં ભારતે 2002 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, 2003 વનડે વર્લ્ડ કપની ફાઇનલ રમી, ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી, 2004માં પાકિસ્તાનમાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી અને ઓસ્ટ્રેલિયાની 16 મેચોની ટેસ્ટ જીતની લય પણ તોડી.

વનડેમાં 11 હજારથી વધુ રન બનાવ્યા

ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટમાં 7212 રન બનાવ્યા, જેમાં 16 સદીનો સમાવેશ થાય છે. 311 વનડેમાં તેમના નામે 11363 રન અને 22 સદી નોંધાયેલી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 132 વિકેટ પણ લીધી. બેટિંગ પછી તેઓ BCCI અધ્યક્ષ અને હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધ્યક્ષ પણ રહ્યા છે.

સૌરવ ગાંગુલીએ છેલ્લી મેચ 10 નવેમ્બર 2008માં રમી હતી.

સૌરવ ગાંગુલીએ છેલ્લી મેચ 10 નવેમ્બર 2008માં રમી હતી.

કપિલ દેવ, સચિન પહેલાં સામેલ થઈ ચૂક્યા છે

ગાંગુલીના સમાવેશ બાદ ICC હોલ ઓફ ફેમમાં ભારતના ખેલાડીઓની સંખ્યા 12 થઈ જશે. તેમની પહેલા બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, ડાયના એડુલ્જી, નીતુ ડેવિડ અને મહેન્દ્ર સિંહ ધોની આ સન્માન મેળવી ચૂક્યા છે.

Leave A Comment