Sushant Singh Rajput Sister Shweta Claims Late Actor Visited Dream State; MS Dhoni Photos
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તાજેતરમાં જણાવ્યું હતું કે, સુશાંતના મૃત્યુ પછી તેણે તેના ભાઈની હાજરી, તેના શ્વાસ અને સુગંધનો અનુભવ કર્યો હતો.
યુટ્યુબ ચેનલ ‘સુપરટૉક્સ બાય ધ મૂવિંગશિપ’ સાથેની વાતચીતમાં શ્વેતાએ કહ્યું કે, સુશાંતના ગયા પછી તેણે તેને ડ્રીમ સ્ટેટ અને મેડિટેશનમાં અનુભવ્યો છે. તેના મતે, બિહારના પટનામાં જ્યારે સુશાંતની અસ્થિઓ વિસર્જન માટે રાખવામાં આવી હતી, ત્યારે જે રૂમમાં તે સૂતી હતી, ત્યાં તેને ભાઈના આવવાનો અનુભવ થયો.
‘મેં સુશાંતને ઘણા પ્રશ્નો પૂછ્યા’
શ્વેતાએ કહ્યું, ‘તે દિવસે તે રાત્રે મારી સાથે વાત કરવા આવ્યો. તેણે શણનું કંઈક પહેર્યું હતું. કુર્તા જેવા ડ્રેસમાં આવીને મને ગળે લગાડી, મારી સાથે કલાકો સુધી વાત કરી. મારી પાસે તેના માટે ઘણા પ્રશ્નો હતા – ભાઈ, આવું શા માટે, ઘણું બધું પૂછ્યું. તેણે મને બધું સમજાવી દીધું અને મને અંદરથી જે ખુલવાનું હોય છે, ગાંઠો, ગ્રંથિઓ, તે બધું ખુલ્યું અને અંતે તેણે મને ગળે લગાડી, કિસ કરી, તો તેની જે સુગંધ હતી, તેના જે શ્વાસ હતા, તે બધું મેં અનુભવ્યું.’

શ્વેતા સિંહ કીર્તિ સુશાંતની મોટી બહેન છે.
શ્વેતાએ જણાવ્યું કે સુશાંતના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તે કેલિફોર્નિયામાં હતી. તેણે કહ્યું કે, સમાચાર સાંભળતા જ તેનું શરીર સુન્ન થઈ ગયું હતું અને પછી તે જોર જોરથી રડવા લાગી હતી.
તેણે જણાવ્યું કે, કોવિડ-19ના કારણે તે ભારત આવી શકી નહીં અને ભાઈને છેલ્લું ગુડબાય પણ કહી શકી નહીં.
ધોનીએ પરિવારનો સંપર્ક કર્યો નથી
સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં ધોનીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મે સુશાંતની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જ્યારે, શ્વેતાએ પોડકાસ્ટમાં કહ્યું કે, સુશાંતના મૃત્યુ પછી ધોનીએ પરિવારનો સંપર્ક કર્યો ન હતો. તેણે જણાવ્યું કે, કંગના રનૌત અને કેટલાક અન્ય સેલેબ્સે પરિવારનો સંપર્ક કર્યો હતો.

ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ સુશાંતના કરિયરની પહેલી ફિલ્મ બની હતી, જેણે ₹100 કરોડથી વધુની કમાણી કરી હતી.
સુશાંતનું મૃત્યુ 14 જૂન 2020ના રોજ થયું હતું
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં મુંબઈ પોલીસે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર ઉઠેલા પ્રશ્નો અને સુશાંતના પરિવાર દ્વારા પટનામાં નોંધાવવામાં આવેલી FIR પછી હત્યા અને આત્મહત્યા માટે ઉશ્કેરણી, બંને પ્રકારના દાવા અને આરોપો સામે આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ અને બિહાર સરકારની ભલામણ બાદ ઓગસ્ટ 2020માં આ કેસની સત્તાવાર તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ કોર્ટમાં તેના ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યું હતું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવા અથવા તેના મૃત્યુમાં કોઈપણ પ્રકારની ગુનાહિત ષડયંત્ર કે હત્યાનો કોઈ પુરાવો મળ્યો નથી.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


