Trisha Krishnan Tirupati Temple Visit Birthday, Prayers For Thalapathy Vijay
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણનનો આજે 43મો જન્મદિવસ છે. આ ખાસ અવસરે એક્ટ્રેસે તિરુપતિ બાલાજી મંદિરે પહોંચીને દર્શન કર્યાં. રવિવારે રાત્રે એક્ટ્રેસ તિરુપતિ માટે રવાના થઈ હતી, જેના પછી હવે તેના મંદિર દર્શનના વિઝ્યુઅલ્સ સામે આવી રહ્યા છે.
જુઓ ત્રિશા કૃષ્ણનની તિરુપતિ મંદિર દર્શનની કેટલીક તસવીરો-

જન્મદિવસે ત્રિશાએ તિરુપતિ બાલાજીના દર્શન કર્યાં.

ત્રિશા હાલમાં સાઉથસ્ટાર અને તમિલનાડુના સીએમ પદના ઉમેદવાર થલાપતિ વિજય સાથે અફેરની અટકળોને લઈ ચર્ચામાં છે.

ત્રિશાએ પરંપરાગત પોષાક પર પસંદગી ઢોળી.
ત્રિશા કૃષ્ણન ઓફ-વ્હાઇટ ટ્રેડિશનલ સૂટ પહેરીને મંદિર પહોંચી હતી. ટીમના સભ્યો સાથે તેણે મંદિરના દર્શન કર્યા હતા. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ તેના આ દર્શનને તમિલનાડુ ચૂંટણીના પરિણામો સાથે જોડવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં, ત્રિશા કૃષ્ણન આ દિવસોમાં થલપતિ વિજય સાથે નામ જોડાવાને કારણે ચર્ચામાં છે. વિજયની પાર્ટી TVK (તમિલગા વેટ્રી કઝગમ) એક્ઝિટ પોલમાં 234 બેઠકોમાંથી 109 બેઠકો પર આગળ ચાલી રહી છે.

યુઝર્સે ત્રિશાના દર્શનને વિજયની જીત સાથે જોડ્યા.

યુઝર્સે ત્રિશાના દર્શનને લઈને ટીખળ કરી.
વિજયના પિતા પણ દર્શન કરવા પહોંચ્યા
ચૂંટણીનું પરિણામ આવે તે પહેલાં જ થલપતિ વિજયના પિતા એસ.એસ. ચંદ્રશેખર પણ તિરુત્તની મુરુગન મંદિરે પહોંચ્યા છે. એસ.એ. ચંદ્રશેખર એક ફિલ્મ ડિરેક્ટર છે.
આ પહેલા પણ થોડા સમય પહેલા ત્રિશા કૃષ્ણને વોટ નાખ્યા પછી સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી. થલાપતિ વિજય સાથે નામ જોડાતા તેની મોટાભાગની પ્રવૃત્તિઓને તેની સાથે જોડીને જોવામાં આવી રહી છે.

ત્રિશાએ મતદાન કર્યાં પછી ફોટો શેર કર્યો હતો.
ત્રિશા-વિજયનો સંબંધ કેવી રીતે ચર્ચામાં આવ્યો?
તાજેતરમાં, થલાપતિ વિજયની પત્ની સંગીતા સોનાલિંગમે વિજયથી છૂટાછેડાની માંગ કરતી અરજીમાં લખ્યું હતું કે, ‘વિજયનું એક એક્ટ્રેસ સાથે અફેર છે. બંને 2021થી રિલેશનશિપમાં છે. વિજયે વારંવાર એક્ટ્રેસ સાથે સંબંધ તોડવાનું આશ્વાસન આપ્યું, પરંતુ તેમ કર્યું નહીં.’
તેમણે અરજીમાં એમ પણ કહ્યું કે, ‘વિજયની તે એક્ટ્રેસ સાથે વેકેશનની તસવીરો સતત સામે આવતી રહે છે, જેનાથી તેની બદનામી પણ થઈ છે.’

થલાપતિ વિજય અને ત્રિશાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
છૂટાછેડાથી ચર્ચામાં આવેલો વિજય થોડા સમય પછી જ એક હાઈ પ્રોફાઈલ લગ્નનો ભાગ બન્યો, જ્યાં એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પણ તેની સાથે પહોંચી હતી.

છૂટાછેડાની અરજીની તરત બાદ વિજય અને ત્રિશા સાથે લગ્નમાં પહોંચ્યાં હતાં.

લગ્ન સમારોહમાં બંનેને સાથે જોઈને અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
,
થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન સંબંધિત આ સમાચાર પણ વાંચો-
સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિ અને સંગીતાના છૂટાછેડા!:25 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત, એક્ટરની પત્નીએ કોર્ટમાં અલગ થવાની અરજી કરી

થલાપતિ વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમે લગ્નના 25 વર્ષ બાદ છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે.
તમિલ સિનેમાના સુપરસ્ટાર અને ‘તમિલગ વેટ્રી કઝગમ’ (TVK)ના વડા વિજયના અંગત જીવનને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ANI મુજબ, વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમે 25 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિજયના અધિકારીઓ અને વ્યક્તિઓ સાથેના સંબંધોએ તેમના લગ્નજીવનને ગંભીર અસર કરી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


