What is CPR This simple skill can save someones life during cardiac arrest | Gujarat News

Last Updated: May 30, 2026By

આજકાલ અચાનક હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર કોઈ વ્યક્તિ ચાલતા-ચાલતા રસ્તા પર, ઘરે કે ઓફિસમાં અચાનક ઢળી પડે છે અને તેના શ્વાસ કે ધબકારા બંધ થઈ જાય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં જો દર્દીને સેકન્ડોની અંદર તાત્કાલિક તબીબી મદદ ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવા કટોકટીના સમયે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) એક મહત્વપૂર્ણ અને જીવન બચાવનારી તકનીક સાબિત થાય છે.

CPR શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

CPR (Cardiopulmonary Resuscitation) એ એક ઇમરજન્સી મેડિકલ પ્રક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિ શ્વાસ લેવાનું બંધ કરે છે અથવા તેનું હૃદય ધબકતું બંધ થઈ જાય છે, ત્યારે CPR દ્વારા તેના શરીરમાં અને મગજ સુધી લોહી તેમજ ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતો અને ડૉક્ટરોના મતે, જો કાર્ડિયાક અરેસ્ટ આવ્યાની શરૂઆતની થોડી મિનિટોમાં જ (ગોલ્ડન અવર) યોગ્ય રીતે CPR આપવામાં આવે, તો દર્દીના બચવાની શક્યતા બે થી ત્રણ ગણી વધી જાય છે.

‘હેન્ડ્સ-ઓન્લી સીપીઆર’: સૌથી સરળ પદ્ધતિ

CPR વિશેની સૌથી સારી બાબત એ છે કે આ તકનીક શીખવા માટે તમારે ડૉક્ટર હોવું જરૂરી નથી; કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેને સરળતાથી શીખી શકે છે. આની સૌથી પ્રચલિત અને સરળ પદ્ધતિ ‘હેન્ડ્સ-ઓન્લી સીપીઆર’ છે:

છાતી પર દબાણ: આ પદ્ધતિમાં બેભાન વ્યક્તિની છાતીની બિલકુલ વચ્ચે (કેન્દ્રમાં) બંને હથેળીઓ એકબીજા પર લોક કરીને મજબૂત અને સતત દબાણ આપવામાં આવે છે.

લોહીનું પમ્પિંગ: આ રીતે સતત અને ઝડપથી છાતી દબાવવાથી હૃદય કૃત્રિમ રીતે શરીરમાં લોહી પંપ કરતું રહે છે. જ્યાં સુધી પ્રોફેશનલ મેડિકલ હેલ્પ અથવા એમ્બ્યુલન્સ ન આવી જાય, ત્યાં સુધી આ પદ્ધતિ દર્દીને જીવતો રાખવામાં મદદ કરે છે.

CPR આપવાનો સાચો સમય કયો છે?

જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ચક્કર ખાઈને પડી જાય, સંપૂર્ણપણે બેભાન થઈ જાય, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ (પ્રતિભાવ) ન આપે અથવા તેનો શ્વાસ બંધ થઈ ગયો હોય તો તરત આટલું કરો. સૌ પહેલા વિલંબ કર્યા વિના સૌથી પહેલા મેડિકલ ઇમરજન્સી કે એમ્બ્યુલન્સને કૉલ કરો. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી સમય બગાડ્યા વિના તરત જ CPR આપવાનું શરૂ કરી દો, કારણ કે વિલંબની દરેક સેકન્ડ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનાવી શકે છે.

ભારતમાં આ મામલે જાગૃતિની ભારે અછત

આજે પણ ભારતમાં ખૂબ જ ઓછા લોકો પાસે CPR નું સાચું અને પૂરતું જ્ઞાન છે. આ જ કારણે હાર્ટ અરેસ્ટના કિસ્સામાં લોકો સમયસર મદદ ન મળવાને લીધે જીવ ગુમાવે છે. જો દેશના વધુને વધુ નાગરિકો આ સામાન્ય તકનીક શીખી લે, તો દર વર્ષે હજારો નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય તેમ છે.

આ પણ વાંચો : Tips : સવારે ચહેરા અને આંખો પર સોજો આવે છે, અજમાવો ઘરેલુ ઉપાય

Leave A Comment