'શરીર લોહીલુહાણ થઈ જતું હતું':કરણ વાહી ગંભીર બીમારીનો ભોગ બન્યો; એક્ટરે નોનવેજ છોડ્યું, તુલસીની માળા પહેરી આધ્યાત્મની વાટ પકડી
એક્ટર કરણ વાહી આ દિવસોમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પોતાની લાઈફસ્ટાઈલમાં આવેલા મોટા બદલાવોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં પારસ છાબડાના પોડકાસ્ટમાં પહોંચેલા કરણે પોતાની આધ્યાત્મિક યાત્રાનો ખુલાસો કર્યો. ત્રણ મહિનાથી નોનવેજ સંપૂર્ણપણે છોડી દીધું એક્ટરે જણાવ્યું કે, તેણે તુલસીની માળા ધારણ કરી લીધી છે અને છેલ્લા 3 મહિનાથી નોનવેજ ખાવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે. કરણે એ પણ જણાવ્યું કે, તે એક ગંભીર સ્કિન પ્રોબ્લેમથી ઝઝૂમી રહ્યો હતો, જેનાથી હવે તેને રાહત મળી છે. વૃંદાવનની તુલસી માળા અને ભક્તિનો પ્રભાવ
કરણે જણાવ્યું કે, તે થોડા સમય માટે આધ્યાત્મિકતાથી દૂર થઈ ગયો હતો, પરંતુ છેલ્લા 5 મહિના તેના માટે ખૂબ સારા રહ્યા. તે વૃંદાવનથી તુલસીની માળા લઈને આવ્યો અને તેને ધારણ કરી. કરણના મતે, નીમ કરોલી બાબા અને પ્રેમાનંદ મહારાજના વીડિયોએ તેના જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. એક્ટરે કહ્યું, ‘મેં જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું શાકાહારી થઈ જઈશ, પરંતુ હવે કંઠી માળા પહેર્યા પછી બધું ખૂબ શાંતિપૂર્ણ લાગે છે.’ ચામડીનો ખતરનાક રોગ થયો એક્ટરે પોતાની બીમારી વિશે જણાવતા બધાને ચોંકાવી દીધા. તેણે કહ્યું, ‘મારું શરીર અંદરથી સુકાવા લાગ્યું હતું, અડધું શરીર સુકાઈ જતું હતું. ખંજવાળવાથી ચામડી ફાટી જતી હતી અને લોહી નીકળવા લાગતું હતું. સવારે ઉઠીને જ્યારે હું બેડશીટ જોતો હતો, ત્યારે તે લોહીના ડાઘાથી લાલ હતી.’ ‘તે જોઈને હું ડરી જતો હતો. હવે જીવનશૈલી અને ખાનપાન બદલ્યા પછી મને આ શારીરિક તકલીફમાંથી ઘણો આરામ મળ્યો છે.’ જેનિફર વિંગેટ સાથે સગાઈની ચર્ચા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ કરણે ઘણી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કરણ વાહી અને એક્ટ્રેસ જેનિફર વિંગેટની સગાઈના સમાચાર હતા. આ અંગે એક્ટરે કહ્યું કે, ‘આ બધા સમાચાર ખોટા છે અને મને ખબર નથી કે આ અટકળો ક્યાંથી શરૂ થઈ.’ નોંધનીય છે કે, કરણ અને જેનિફર એક દાયકાથી પણ વધુ સમયથી પાક્કા મિત્રો છે. બંનેએ પ્રખ્યાત શો ‘દિલ મિલ ગયે’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ છેલ્લે ‘રાયસિંઘાની વર્સિસ રાયસિંઘાની’માં પણ સાથે જોવા મળ્યાં હતાં. ટીવીથી OTT સુધીની સફર કરણ વાહી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તેણે ‘રીમિક્સ’, ‘દિલ મિલ ગયે’ અને ‘બાત હમારી પક્કી હૈ’ જેવા લોકપ્રિય શોઝથી ઓળખ બનાવી. તે એક ઉત્તમ હોસ્ટ પણ છે અને ‘ઝલક દિખલા જા’ જેવા ઘણા રિયાલિટી શોઝ હોસ્ટ કરી ચૂક્યો છે. ટીવી પછી હવે કરણ OTT (ઓટીટી) પર પણ ખૂબ સક્રિય છે અને અલગ-અલગ વેબ પ્રોજેક્ટ્સનો ભાગ બની રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

