શ્રેયંકા પાટીલ વુમન્સ T20 વર્લ્ડકપમાંથી બહાર:નેધરલેન્ડ્સ સામે પગ મચકોડાયો હતો; છેલ્લા 2 વર્ષમાં ત્રીજી વખત ઈજાગ્રસ્ત થઈ
ભારતીય ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલ વુમન્સ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. બુધવારે નેધરલેન્ડ્સ સામે ફિલ્ડિંગ કરતી વખતે તેનો પગ મચકોડાયો હતો. ત્યારબાદ તેને સ્ટ્રેચરની મદદથી મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. હાલમાં BCCIએ શ્રેયંકાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. બોલ પકડતી વખતે પગ મચકોડાયો બીજી ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં શ્રેયંકાએ પોતાની બોલિંગ સ્પેલની શરૂઆત કરી. બેટરે તેના પહેલા બોલને મિડ-ઓન તરફ રમ્યો. બોલ પકડવાના પ્રયાસમાં શ્રેયંકાનો પગ મચકોડાયો અને તે મેદાન પર પડી ગઈ. ત્યારબાદ ટીમના ફિઝિયો તેની પાસે પહોંચ્યા. તેણે શ્રેયંકાના પગમાં પટ્ટી પણ બાંધી, પરંતુ તે ઊભી થઈ શકતી ન હતી. આખરે તેને સ્ટ્રેચરથી મેદાનમાંથી બહાર લઈ જવામાં આવી. 2 વર્ષની અંદર ત્રીજી મોટી ઈજા 2025માં કમબેક, RCBની જીતમાં સામેલ રહી 2025માં શ્રેયંકાએ વેસ્ટ ઇન્ડીઝના ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ વુમન્સ કેરેબિયન પ્રીમિયર લીગમાં કમબેક કર્યું. ત્યારબાદ 2026માં તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બીજી ટ્રોફીનો ભાગ રહી. ટીમે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવી હતી. ઈન્ડિયા-A ટીમમાં સામેલ સ્પિનરને મળી શકે છે તક BCCI ઈન્ડિયા-A ટીમ માટે રમી રહેલી સ્પિનરને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરી શકે છે. કેપ્ટન અનુષ્કા શર્માની આગેવાની હેઠળ ઈન્ડિયા-Aની ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડમાં ત્રણ T20 અને ત્રણ લિસ્ટ-A મેચ રમશે. આ ટીમમાં ઓફ સ્પિનર મિન્નુ મણિ, લેફ્ટ આર્મ સ્પિનર તનુજા કંવર, વૈષ્ણવી શર્મા, લેગ સ્પિનર પ્રેમા રાવત અને ખુદ અનુષ્કાનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ સ્પિન બોલરને વર્લ્ડ કપ માટે બોલાવી શકાય છે. ભારતે સતત બે મેચ જીતી ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં તેની શરૂઆતની બે મેચ જીતી ચૂકી છે. તેણે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને હરાવ્યા છે. હવે તેની ત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે 21 જૂને માન્ચેસ્ટરમાં રમાશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

