સમય રૈનાએ સુનીલ પાલનું અપમાન કર્યું!:કપિલ શર્મા શોમાં બંને કોમેડિયનો વચ્ચે હૂસાતુસી, સુનીલના 'આતંકવાદી' નિવેદન પર સમયનો વળતો જવાબ
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કોન્ટ્રોવર્સી પછી સમય રૈના અને શોની સખત નિંદા કર્યા બાદ કોમેડિયન સુનીલ પાલ તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા, જ્યાં સમય રૈના મહેમાન તરીકે આવ્યો હતો. શોમાં સમય રૈનાએ સુનીલ પાલ પર ઘણા જોક્સ કર્યા અને એકવાર તો એવું પણ કહી દીધું કે, ‘તમે બ્રશ કેમ નથી કરતા?’ સુનીલ પાલનું અપમાન થયાનો ચાહકોનો દાવો આ ઉપરાંત, સમય રૈનાએ એમ પણ કહ્યું કે, તેણે સુનીલ પાલના સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સમાં આવતી ગાળોમાંથી જ ગાળો શીખી છે. શોની ક્લિપ્સ સામે આવ્યા પછી ઘણા ચાહકોએ પણ તેને સીનિયર કોમેડિયનનું અપમાન ગણાવ્યું. જોકે, હવે સુનીલ પાલે કહ્યું છે કે, તેમને આના પર કોઈ નારાજગી નથી. ‘કોઈને મારવા-કાપવા તો ન દોડાય’ અપમાન થવાના દાવાને નકારી કાઢતા સુનીલ પાલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘હું તેને અપમાન નથી માનતો કારણ કે, તે કોમેડી શો છે અને કોમેડી શોમાં મજાક-મસ્તી થતી રહે છે. જો કોઈ સામે આવી જાય, તો તેને મારવા-કાપવા તો નહીં દોડીએ, એવું કોઈ મનદુખ નથી.’ સુનીલ પાલે આગળ કહ્યું, ‘લોકો એકબીજા પર જોક્સ બનાવે છે. મેં તેના પર પંચલાઇન બનાવી અને તેણે પણ તે જ કર્યું. જો કોઈ ગંભીર વિષય હોત અથવા આ કોઈ ગંભીર શો હોત, તો અમને ફરિયાદ કરવાનો હક પણ હોત. શાહરુખ ખાન જેવા પણ આવા શોમાં મજાકનો મુદ્દો બની જાય છે. તો મને કોઈ ફરિયાદ નથી.’ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદ બાદ સમય-રણવીર પહેલીવાર સ્ટેજ પર સાથે દેખાયા નોંધનીય છે કે, તાજેતરમાં સમય રૈના અને રણવીર અલાહાબાદિયા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા. શોના એક સેગમેન્ટમાં સુનીલ પાલને પણ બોલાવવામાં આવ્યા હતા. સુનીલના આવતા જ કપિલ શર્માએ કહ્યું, ‘આ જ્યારે પણ આવે છે ત્યારે કહે છે, હું સુનીલ પાલ, કોમેડીનો લાલ અને આ સમયને કોમેડીનો આતંકવાદી કહે છે. એવું કયું તમે તેમને મોઢેથી ગ્રેનેડ ફેંકતા જોયા છે? કેટલાક વિચારો વ્યક્ત કરો.’ આના પર સુનીલ પાલે કહ્યું, ‘કપિલ ભાઈ, જો આ મોઢેથી ગ્રેનેડ મારતા હોત તો સારું હતું, પણ જે આ મારે છે તે સહન થતું નથી. જે સમજાતું નથી તે સમાજમાં આવતું નથી અને જે સમાજમાં આવતું નથી, તે તો આતંકવાદી જ હોય છે ને?’ જવાબ આપતા સમયે કહ્યું, ‘આમને મારાથી એટલી જ તકલીફ છે કે, હું શું કહું? મોઢેથી ગ્રેનેડ મારું છું, હું શું બોલું, કહો જે પણ તકલીફ છે.’ સમયે આગળ કહ્યું, ‘હું મેળામાં પરફોર્મ કરતો નથી, હું ઊંધી-ચત્તી વાતો કરું છું. મને તમારાથી કોઈ તકલીફ નથી સર, બસ એક જ છે, તમે બ્રશ કેમ નથી કરતા યાર?’ આ પછી સુનીલે પણ તે જ લહેજામાં જવાબ આપતા કહ્યું કે, ‘બ્રશ કરવાનો જમાનો જતો રહ્યો, હું પોલિશ કરીને આવ્યો છું.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

