ધોનીએ ગાયકવાડને કેપ્ટનશીપનો ગુરુમંત્ર આપ્યો:કહ્યું- 'ફ્રી હેન્ડ આપ્યા છે, ક્રિકેટમાં ફૂટબોલ જેવું નથી કે કેપ્ટન જ બોસ હોય'; આજની મેચ રમવા પર મૌન

Last Updated: May 18, 2026By

ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ પર નિવેદન આપ્યું. તેણે રવિવારે ટ્રેનિંગ સેશન પહેલા આયોજિત કાર્યક્રમમાં કહ્યું- અમે તેને ફ્રી હેન્ડ આપ્યો છે. મેં ઋતુને સ્પષ્ટ કહ્યું છે કે CSKને તે જ રીતે ચલાવો, જે રીતે તમે ચલાવવા માંગો છો. હું પણ લાંબા સમયથી આ ટીમને આ જ રીતે ચલાવતો આવ્યો છું. 44 વર્ષના પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીએ ક્રિકેટમાં કેપ્ટનના અધિકારો પર પણ વાત કરી. તેણે કહ્યું- મને હંમેશા લાગે છે કે ક્રિકેટ એવી રમત છે, જ્યાં મેદાન પર કેપ્ટનને જ નિર્ણય લેવાના હોય છે. હા, કોચ અને સપોર્ટ સ્ટાફ હોય છે, પરંતુ આ ફૂટબોલ જેવું નથી, જ્યાં મેનેજર બધું નક્કી કરે છે.’ જોકે, ધોનીએ આજના IPL મેચમાં પોતાના રમવા પર અપડેટ આપ્યું નથી, જેમાં ચેન્નઈનો મુકાબલો હૈદરાબાદ સામે થશે. આ ટીમનો ઘરઆંગણે આ સીઝનનો છેલ્લો લીગ મેચ છે. ધોનીએ ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી. ધોનીએ પ્રેક્ટિસમાં મોટા-મોટા શૉટ માર્યા ધોનીની 4 વાતો… આ સીઝનમાં ધોની કોઈ મેચ રમી શક્યા નથી ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જોકે, તે કાફ સ્ટ્રેન (પિંડલીની ઈજા)ને કારણે આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યા નથી. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ચેન્નઈને 5 વખત IPL જીતાડી છે. તેઓ ભારતીય લીગમાં 5 હજારથી વધુ રન બનાવી ચૂક્યા છે.

Leave A Comment