ભારત-અમેરિકા વચ્ચે આવતીકાલથી 4 દિવસ વાતચીત:વચગાળાનો વેપાર કરાર ફાઇનલ થઈ શકે છે, જેમાં ભારત ₹47 લાખ કરોડના અમેરિકી ઉત્પાદનો ખરીદશે

Last Updated: May 31, 2026By

ભારત અને અમેરિકા વચ્ચે સોમવારથી 4 દિવસની ઉચ્ચ સ્તરીય વ્યાપારી વાટાઘાટો શરૂ થશે. બંને દેશોના અધિકારીઓ દિલ્હીમાં તે વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપશે, જેના માળખા પર આ વર્ષે ફેબ્રુઆરીમાં સહમતિ બની હતી. બેઠકનો ઉદ્દેશ્ય વચગાળાના કરારને અંતિમ સ્વરૂપ આપવાનો આ 4 દિવસીય બેઠકમાં અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ત્યાંના મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. જ્યારે, ભારતીય ટીમની કમાન વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ દર્પન જૈનના હાથમાં છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વચગાળાના કરારને કાનૂની રીતે અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ સાથે જ બંને પક્ષો વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) હેઠળ માર્કેટ એક્સેસ, નોન-ટેરિફ મેઝર્સ, કસ્ટમ્સ, ટ્રેડ ફેસિલિટેશન, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇકોનોમિક સિક્યુરિટી એલાઇનમેન્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વાટાઘાટોને આગળ વધારશે. ફેબ્રુઆરીમાં બન્યું હતું ફ્રેમવર્ક: હવે ટ્રમ્પના નવા નિર્ણયો પછી ફરીથી કરવું પડશે રી-કેલ્ક્યુલેશન ભારત $500 બિલિયનના અમેરિકી ઉત્પાદનો ખરીદશે નિર્ધારિત વર્તમાન માળખા હેઠળ ભારતે અમેરિકાના તમામ ઔદ્યોગિક માલસામાન અને કૃષિ ઉત્પાદનો પરથી ટેરિફ હટાવવા અથવા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં મુખ્યત્વે ડ્રાઈડ ડિસ્ટિલર્સ ગ્રેન્સ (DDGs), પશુ આહાર માટે લાલ જુવાર, ટ્રી નટ્સ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ્સનો સમાવેશ થાય છે. તેના બદલામાં ભારતે આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી આશરે 500 બિલિયન ડોલર (લગભગ ₹47 લાખ કરોડ) ના એનર્જી પ્રોડક્ટ્સ, એરક્રાફ્ટ અને એરક્રાફ્ટ પાર્ટ્સ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોકિંગ કોલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વચગાળાનો વેપાર કરાર શું હોય છે? બે દેશો વચ્ચે સંપૂર્ણ વેપાર કરાર (FTA) બનાવવામાં સમય લાગે છે. ઘણા મહિનાઓ કે વર્ષો. ત્યાં સુધી બંને દેશો તાત્કાલિક કેટલાક ફાયદા માટે એક નાનો, અસ્થાયી કરાર કરી લે છે. તેને વચગાળાનો વેપાર કરાર કહે છે.

Leave A Comment