ભારત-UAE વચ્ચે વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા કરાર:બંને દેશ વચ્ચે LPG કરાર, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે બેઠક કરી; મોદીએ હોર્મુઝ ખોલવા પર ભાર મૂક્યો

Last Updated: May 15, 2026By

PM નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે પહોંચ્યા છે. અબુ ધાબી પહોંચ્યા બાદ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું. અહેવાલો અનુસાર, UAE વાયુસેનાના F-16 ફાઇટર જેટ્સે PMના વિમાનને એસ્કોર્ટ કર્યું. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને દેશો વચ્ચે LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વડિનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત MoU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા. UAEએ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓએ ઊર્જા સુરક્ષા, વેપાર, રોકાણ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી. ભારત અને UAE સાથે મળીને વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપશે અબુ ધાબીમાં, વડાપ્રધાન મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે વેપાર, રોકાણ, ઊર્જા સુરક્ષા અને પિપલ ટુ પિપલના સંબંધો સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રો પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટેના માળખા, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારના પુરવઠા, અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ RBL બેંક અને સન્માન કેપિટલમાં 5 બિલિયન ડોલરના રોકાણ અંગે સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતના દ્વારકા જિલ્લાના વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારો નવી દિલ્હી અને અબુ ધાબી જે ખાડી પ્રદેશમાં ભારતના મુખ્ય ભાગીદારોમાંનું એક છે, બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક જોડાણને વધુ ગાઢ બનાવશે. પીએમ મોદીએ હોર્મુઝ ખોલવા પર ભાર મૂક્યો અબુ ધાબીમાં પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દરમિયાન બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “ભારત દરેક પરિસ્થિતિમાં UAE સાથે ખભે ખભા મિલાવીને ઊભું છે, અને તે આમ કરતું રહેશે. શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારત તમામ સંભવિત સહયોગ આપશે.” વડાપ્રધાન મોદીએ અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે UAE પર ઇરાની હુમલાઓની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુની “મુક્ત અને ખુલ્લી” રહે તે મહત્વપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન થવું જોઈએ. વડાપ્રધાને ભારત-UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા બદલ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો આભાર માન્યો અને કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દ્વિપક્ષીય સહયોગનું મહત્વ વધ્યું છે. મોદીની UAE મુલાકાત અંગે અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ…

Leave A Comment