Govt Ethanol Blending Experiment: SC Order for 2025-26 Allocation

Last Updated: June 30, 2026By

નવી દિલ્હી12 કલાક પેહલા

  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઇથેનોલ સપ્લાય યર 2025-26 માટે ઇથેનોલ ફાળવણીમાં કોઈ ફેરફાર ન કરવાનો આદેશ આપ્યો. સુનાવણી દરમિયાન સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરમણીએ જણાવ્યું હતું કે પેટ્રોલ (E20) માં 20% ઇથેનોલ ભેળવવાની સરકારી નીતિ બદલાશે નહીં. આ યોજનાની સંપૂર્ણ અસર આવતા વર્ષ સુધીમાં વધુ સ્પષ્ટ થશે.

કોર્ટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમ એમ સુંદરશ અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ આદેશ આપ્યો. એટર્ની જનરલે જણાવ્યું હતું કે કર્ણાટક હાઈકોર્ટના આદેશથી સરકારની 20% ઇથેનોલ બ્લેન્ડિંગ યોજના પર અસર પડી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવા ઘણા કેસ અલગ-અલગ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે.

ઇથેનોલ સપ્લાયના કરારો ઓક્ટોબર 2025માં જ થઈ ચૂક્યા છે

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે BPCL એ હાઈકોર્ટની મોટી બેન્ચમાં અપીલ કેમ ન કરી. આના પર એટર્ની જનરલે કહ્યું કે ઇથેનોલ સપ્લાયના કરારો ઓક્ટોબર 2025માં જ થઈ ચૂક્યા છે. જો દરેક હાઈકોર્ટમાં અલગ-અલગ સુનાવણી થશે તો નિર્ણય આવવામાં વિલંબ થશે અને તેનાથી દેશની નીતિ પ્રભાવિત થઈ શકે છે. તેમણે મામલાને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી પણ માંગી.

સુનાવણી પછી એટર્ની જનરલે કહ્યું કે 20% ઇથેનોલ ભેળવવાની નીતિ બદલાવાની નથી. હા, તેલ કંપનીઓને કેટલું ઇથેનોલ મળશે, તે માંગ અને બીજી પરિસ્થિતિઓ અનુસાર ઓછું કે વધુ હોઈ શકે છે.

વિવાદ કેવી રીતે શરૂ થયો

આ મામલો વિનપ ડિસ્ટિલરીઝ એન્ડ સુગર પ્રાઇવેટ લિમિટેડની અરજી સાથે સંબંધિત છે. કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેણે માત્ર ઇથેનોલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપ્યો છે. તેની વાર્ષિક ક્ષમતા આશરે 9.90 કરોડ લિટર છે, પરંતુ 2025-26 માટે તેને માત્ર 3.92 કરોડ લિટર ઇથેનોલ સપ્લાયનો ઓર્ડર મળ્યો. જ્યારે તેણે 9.26 કરોડ લિટરની બોલી લગાવી હતી.

સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અગાઉ વધુ ફાળવણી મળવાનો અર્થ એ નથી કે કંપની દર વખતે તેટલી જ માત્રા માંગી શકે છે. જો તેની માંગણી સ્વીકારી લેવામાં આવે તો સરકારની આખી નીતિ બદલાઈ જશે.

જોકે, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે કંપનીને અગાઉની નીતિ અને કરારના આધારે એવી અપેક્ષા હતી કે તેને પહેલાની જેમ ફાળવણી મળશે. તેથી OMCs એ તેની અરજી પર ફરીથી વિચાર કરવો જોઈએ.

સરકારે E20ને સુરક્ષિત ગણાવ્યું

આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે કેટલાક લોકો E20 પેટ્રોલથી જૂના વાહનોને નુકસાન અને માઇલેજ ઓછું થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે અત્યાર સુધી એવો કોઈ પાક્કો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી કે E20 પેટ્રોલથી વાહનોને નુકસાન થાય છે.

24 જૂને પેટ્રોલિયમ મંત્રાલયે પણ કહ્યું હતું કે E20 સંપૂર્ણપણે સુરક્ષિત છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે E20 પેટ્રોલ ભરાવવાથી વાહનનો વીમો રદ થશે નહીં. આ દાવો ખોટો છે.

ઘણા દેશોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પહેલેથી જ ઉપયોગમાં લેવાય છે

સરકારના મતે, અમેરિકા, બ્રાઝિલ અને જાપાન જેવા ઘણા દેશોમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પહેલેથી જ ઉપયોગમાં લેવાય છે. સરકારનું કહેવું છે કે આ યોજનાથી ભારતે ક્રૂડ ઓઇલની આયાત પર 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુની વિદેશી મુદ્રા બચાવી છે. આનાથી ઊર્જા સુરક્ષા વધી છે, પ્રદૂષણ ઘટ્યું છે અને ખેડૂતોને પણ ફાયદો થયો છે.

ભારત ગયા વર્ષે જ પેટ્રોલ માં 20% ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતાં પાંચ વર્ષ વહેલા હાંસલ કરી ચૂક્યું છે. 1 એપ્રિલ થી સમગ્ર દેશ માં E20 પેટ્રોલ નો પુરવઠો શરૂ થઈ ચૂક્યો છે. હવે સરકાર 2030 સુધી માં તેને વધારીને 30% કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહી છે.