Anil Ambani Group Assets Seized in Money Laundering Case
નવી દિલ્હી50 મિનિટ પેહલા
- કૉપી લિંક
EDએ આજે એટલે કે 11 જુલાઈએ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસમાં કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ ગ્રુપની 1,021 કરોડ રૂપિયાની સંપત્તિને કામચલાઉ ધોરણે જપ્ત કરવાનો નવો આદેશ જારી કર્યો છે.
ED અનુસાર, આ કાર્યવાહી હેઠળ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેના રિલાયન્સ પાવરના ઇક્વિટી શેર અને સાસન પાવર તથા રિલાયન્સ પાવર પાસેથી મળતી કેટલીક લોન રકમને જપ્ત કરવામાં આવી છે. આ નવા આદેશ પછી, આ કેસમાં અત્યાર સુધી જપ્ત કરાયેલી કુલ સંપત્તિનો આંકડો 20,367 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
CBIની FIR પછી શરૂ થયેલી મની લોન્ડરિંગની તપાસ
EDની આ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL) વિરુદ્ધ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે. CBIની આ જ ફરિયાદને આધાર બનાવીને EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસની તપાસ શરૂ કરી હતી.
શેલ કંપનીઓ દ્વારા ₹15,548 કરોડનું ભંડોળ ડાયવર્ટ કરવામાં આવ્યું
તપાસ એજન્સીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે RHFL અને RCFL દ્વારા એકત્ર કરાયેલા 15,548 કરોડ રૂપિયાના પબ્લિક ફંડને વ્યવસ્થિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યું.
આ રકમને અનિલ અંબાણી ગ્રુપ દ્વારા નિયંત્રિત અને સંચાલિત થતી ઘણી ‘શેલ’ એટલે કે નકલી અથવા ડમી કંપનીઓ અને ગ્રુપની અન્ય કંપનીઓના નેટવર્ક દ્વારા અહીંથી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
અનિલ અંબાણી ગ્રુપ પર ઘણા કેસોની તપાસ
- ED હાલમાં અનિલ અંબાણી ગ્રુપ વિરુદ્ધ ઘણા કેસોની તપાસ કરી રહી છે.
- ગ્રુપ વિરુદ્ધ એન્ટી-મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ 4 FIR નોંધાયેલી છે, જેની તપાસ ચાલી રહી છે.
- ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની જોગવાઈઓના ઉલ્લંઘનને લઈને પણ 3 અલગ કેસોમાં ગ્રુપ વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ, 4 ચાર્જશીટ રજુ થઈ ચૂકી છે
આ સમગ્ર મામલામાં કેન્દ્રીય એજન્સી અત્યાર સુધીમાં કુલ 4 ચાર્જશીટ (પ્રોસિક્યુશન ફરિયાદો) કોર્ટમાં રજુ કરી ચૂકી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં સામેલ 8 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ED એ પણ માહિતી આપી છે કે મની લોન્ડરિંગ ઉપરાંત ફેમા (FEMA) હેઠળ પણ ગ્રુપની 77.86 કરોડ રૂપિયાની સંપત્તિઓને પહેલાથી જ જપ્ત કરવામાં આવી છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ શું છે?
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ પ્રોવિઝનલ અટેચમેન્ટનો અર્થ એ થાય છે કે આરોપી હવે આ સંપત્તિ (જેમ કે શેર અથવા લોન રકમ) વેચી કે ટ્રાન્સફર કરી શકતો નથી. જ્યારે ED ને લાગે છે કે કોઈ સંપત્તિ ગુનાની કમાણીમાંથી બનાવવામાં આવી છે, ત્યારે તે તેને અસ્થાયી રૂપે 180 દિવસ માટે જપ્ત કરી લે છે. તેને પછીથી એડજુડિકેટિંગ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ કાયમી ધોરણે જપ્ત કરી શકાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


