Bengaluru IPL 2026 Final Venue Controversy; Playoffs Punjab Karnataka
11 કલાક પેહલા
- કૉપી લિંક
IPL 2026ની ફાઇનલ મેચના સ્થળને લઈને અસમંજસ પ્રવર્તી રહ્યું છે. સામાન્ય રીતે ફાઇનલ ડિફેન્ડિંગ ચેમ્પિયનના હોમ ગ્રાઉન્ડ પર હોય છે, પરંતુ બેંગલુરુમાં રાજકીય વિવાદને કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફાઇનલની શક્યતા ઓછી લાગી રહી છે.
BCCI સૂત્રએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું, ‘નિયમ મુજબ, પાછલી વિજેતાને ફાઇનલની યજમાની મળવી જોઈએ, પરંતુ બેંગલુરુમાં ‘MLA ટિકિટ’ નો મુદ્દો મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. જો આનો ઉકેલ ન આવ્યો, તો BCCI ફાઇનલને કોઈ બીજા શહેરમાં ખસેડી શકે છે.’
IPL ની વર્તમાન સિઝનની ફાઇનલ મેચ 31 મેના રોજ રમાવાની છે. જોકે, હજુ સુધી સ્થળની જાહેરાત કરવામાં આવી નથી. પ્લેઓફ મુકાબલા પંજાબ અને કર્ણાટક વચ્ચે વહેંચી શકાય છે.

બેંગલુરુએ ગયા વર્ષે પંજાબને હરાવીને IPL જીત્યું હતું.
ડેપ્યુટી CMનું ધારાસભ્યોને 3-3 ટિકિટ આપવાની જાહેરાત
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જાહેરાત કરી હતી કે વર્તમાન IPLમાં ધારાસભ્યો અને સાંસદોને RCBની મેચો માટે 3 ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે સૂચન કર્યું હતું કે દરેક ધારાસભ્યને ઓછામાં ઓછી 5 IPL ટિકિટ મળવી જોઈએ. તેમણે દલીલ કરી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ‘VIP’ હોય છે અને તેમને લાઈનમાં ઊભા રહેવું ન જોઈએ.
ટિકિટ ‘નોન-ટ્રાન્સફરેબલ’, દુરુપયોગ થઈ રહ્યો નથી
ધારાસભ્યોની ટિકિટોના દુરુપયોગના આરોપો પર કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવે છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચો માટે ટિકિટ ‘નોન-ટ્રાન્સફરેબલ’ છે. એનો અર્થ એ છે કે ધારાસભ્ય અથવા તેમના પરિવારના સભ્યો જ મેચ જોઈ શકે છે. અન્ય કોઈ વ્યક્તિ આ ટિકિટોનો ઉપયોગ કરી શકતી નથી.
ગયા વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચી હતી નાસભાગ ગયા વર્ષે 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પંજાબ કિંગ્સ (PBKS) ને IPL ફાઇનલમાં 6 રનથી હરાવ્યું. ટીમે 18 સીઝનમાં પહેલીવાર ખિતાબ જીત્યો, જેની ખુશીમાં બીજા જ દિવસે હોમગ્રાઉન્ડ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી સેલિબ્રેશન કર્યું.
RCB ટીમના તમામ સભ્યો જ્યારે વિધાનસભામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળી રહ્યા હતા, તે જ સમયે સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ. જેમાં 11 લોકોના મોત થયા, જ્યારે 33 થી વધુ લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના બાદ કર્ણાટક હાઈકોર્ટે કેસની તપાસ શરૂ કરાવી. તપાસ ચાલુ છે.

બેંગલુરુમાં ગયા વર્ષે RCBના વિજય ઉત્સવ દરમિયાન લગભગ 3 લાખ લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. આ કારણે સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી.
——————————————
IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો
મુંબઈએ પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો, રોહિતની છગ્ગાથી ફિફ્ટી

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની 47મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. વાનખેડેમાં રમાયેલી આ મેચમાં મુંબઈએ IPLમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કર્યો, જ્યારે લખનઉએ પાવરપ્લેમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


