Health News Find out how dangerous stray animals in hospitals are to the health of patients | Gujarat News

Last Updated: April 13, 2026By

હોસ્પિટલોને દર્દીઓ માટે સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પરંતુ આજકાલ હોસ્પિટલમાં રખડતા પ્રાણીઓનો ત્રાસ વધ્યો છે. અનેક વખત સોશિયલ મીડિયામાં હોસ્પિટલમાં રખડતા ઉંદર અને બિલાડીના વીડિયો આપણે જોઈએ છીએ.  ત્યારે સવાલ એ થાય કે શું આ રખડતા પ્રાણીઓ દર્દીઓના સ્વાસ્થ્ય પર આટલી ગંભીર અસર કરે છે? દર્દીઓ માટેની હોસ્પિટલમાં જયારે રખડતા પ્રાણીઓ આતંક મચાવે છે તેના કારણે કયારેક મોતના જોખમની સ્મસ્યા પણ વધે છે. જાણો આ પ્રાણીઓ દર્દીઓ માટે કેટલા જોખમી હોઈ શકે છે.

હોસ્પિટલમાં ફરતા કૂતરા બાળકો માટે જોખમી

હાલમાં ઉંદર કરડવાથી એક નવજાત બાળકીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. જેણે લોકોમાં ચર્ચા જગાવી હતી. હોસ્પિટલમાં કૂતરા, બિલાડી કે ઉંદર રખડતા જોવા મળે, ત્યારે તે માત્ર ગંદકી નથી ફેલાવતા, પણ જીવલેણ રોગોનું કારણ પણ બને છે. હોસ્પિટલના વૉર્ડ કે કોરિડોરમાં ફરતા કૂતરાઓ ગંભીર ખતરો પેદા કરે છે.  કૂતરો કરડે નહીં પણ માત્ર ખુલ્લા ઘાને ચાટે, તો પણ તેની લાળમાં રહેલા વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે. હોસ્પિટલમાં આવતા બાળકો કૂતરાઓનો જલ્દી શિકાર બને છે, તેથી તેમનાથી અંતર રાખવું ખૂબ જરૂરી છે.

બિલાડી દર્દી માટે બની શકે સાયલન્ટ કિલર

બિલાડીઓ જોવામાં ભલે શાંત લાગે, પણ તે અનેક બેક્ટેરિયા અને પરોપજીવીઓનો વાહક છે. બિલાડીના કરડવાથી કે નખ વાગવાથી ‘બાર્ટોનેલા’ બેક્ટેરિયા શરીરમાં ફેલાય છે, જેનાથી તીવ્ર તાવ અને લસિકા ગાંઠોમાં સોજો આવે છે. બિલાડીના મળના સંપર્કથી ફેલાતો આ રોગ સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત ઘાતક છે. તે ગર્ભમાં રહેલા બાળકને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો બિલાડી દર્દીના ખોરાકમાં મોઢું નાખે તો ટાઇફોઇડ અને ઝાડા-ઉલટી જેવા રોગો થઈ શકે છે.

દર્દી માટે નાના ઉંદર બની શકે જીવલેણ

ઉંદરો ગમે તેવા નાના છિદ્રમાંથી પણ ICU કે NICU જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચી જાય છે.  ઉંદરના પેશાબ અને મળ દ્વારા ફેલાતો આ રોગ અત્યંત ગંભીર છે. ખોરાક કે પાણી દૂષિત થવાથી તે આખા શરીરમાં ફેલાઈ શકે છે. જો ઉંદર કરડે તો ૨ થી ૧૦ દિવસમાં તેના લક્ષણો દેખાય છે. જો સમયસર સારવાર ન મળે તો આ તાવ ૭ થી ૧૦ દિવસમાં વ્યક્તિનું મૃત્યુ પણ નીપજાવી શકે છે. ઉંદર કરડવાના કિસ્સામાં તાત્કાલિક સાબુથી ઘા સાફ કરી, ટિટાનસનું ઇન્જેક્શન અને એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ. હોસ્પિટલમાં સ્વચ્છતા જ દર્દીની અડધી સારવાર છે પરંતુ જો આવા પ્રાણીઓનો આંતક રહેતો હોય તો તે ચિંતાજનક બાબત કહી શકાય.

આ પણ વાંચો : PM Modiની એનર્જીનું સિક્રેટ છે આ ‘સુપરફૂડ’: જાણો મોરિંગા ખાવાના અદભૂત ફાયદા

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )