Karishma Kapoor Kids Lawyer Questions 7500 Crore Satisfaction

Last Updated: May 2, 2026By

3 કલાક પેહલા

  • કૉપી લિંક

દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા વસિયત પર “સસ્પિશિયસ સર્કમસ્ટાન્સિસ” એટલે કે શંકાસ્પદ સંજોગોની ટિપ્પણી કર્યા પછી, વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ પ્રિયા કપૂરના દાવાઓ પર આકરો પ્રહાર કર્યો છે.

અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મહેશ જેઠમલાણીએ કહ્યું, “ખોટી વસિયત બનાવવાની કોઈ જરૂર જ નહોતી. જ્યારે કોઈ જરૂર કરતાં વધુ લોભી બની જાય છે, ત્યારે આવા જોખમો સામે આવે છે.”

જેઠમલાણી, સંજય કપૂર અને કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિયાન કપૂર વતી દલીલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રિયા કપૂર અને તેમના સગીર પુત્રને ટ્રસ્ટ સ્ટ્રક્ચર હેઠળ લગભગ 7500 કરોડ રૂપિયાનો અધિકાર પહેલેથી જ મળી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં, વિવાદાસ્પદ વસિયત દ્વારા વધારાનો દાવો કરવો એ “બિનજરૂરી અને જોખમી પગલું” હતું.

30 હજાર કરોડ નહીં, આશરે 12 હજાર કરોડની સંપત્તિ

મહેશ જેઠમલાણીએ સંપત્તિની કુલ કિંમત પર મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે મીડિયામાં 30 હજાર કરોડ રૂપિયાની ચર્ચા ખોટી છે. તેમના મતે, કુલ એસ્ટેટ લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું છે, જેમાં આશરે 10 હજાર કરોડ ટ્રસ્ટ એસેટ્સ અને લગભગ 2 હજાર કરોડ વસિયત સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે આટલી નાની ભાગીદારી માટે મામલાને વિવાદાસ્પદ બનાવવો સમજની બહાર છે.

જો વસિયત નકલી સાબિત થઈ તો બધું જ જઈ શકે છે

જેઠમલાણીએ કહ્યું કે જો કોર્ટમાં વસિયત બનાવટી સાબિત થાય છે, તો તેના ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. ટ્રસ્ટ ડીડ મુજબ, જો કોઈ વ્યક્તિ પર છેતરપિંડી જેવા “મોરલ ટર્પિટ્યુડ” વાળા ગુનાનો દોષ સાબિત થાય છે, તો તે ટ્રસ્ટી બનવા માટે યોગ્ય રહેતો નથી. તેને ટ્રસ્ટનો લાભાર્થી બનવાનો અધિકાર પણ ગુમાવવો પડી શકે છે. તેમણે તેને “ખૂબ મોટો જુગાર” ગણાવ્યો.

પ્રિયા કપૂરને ટ્રસ્ટી પદ પરથી હટાવવાનો દાવો

મહેશ જેઠમલાણીએ દાવો કર્યો કે કાયમી ટ્રસ્ટી રાણી કપૂર પહેલાથી જ પ્રિયા કપૂરને ટ્રસ્ટી પદ પરથી હટાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તેમના ક્લાયન્ટ ટ્રસ્ટની કાયદેસરતાને પડકારી રહ્યા નથી, પરંતુ પ્રિયા કપૂરના વર્તન અને ટ્રસ્ટના સંચાલનની રીત પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સંજય કપૂરે ત્રીજી વખત પ્રિયા સચદેવ સાથે 13 એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતા.

સંજય કપૂરે ત્રીજી વખત પ્રિયા સચદેવ સાથે 13 એપ્રિલ 2017ના રોજ લગ્ન કર્યા હતા.

બાળકોને માહિતી ન આપવાનો આરોપ

જેઠમલાણીએ આરોપ લગાવ્યો કે ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે. તેમણે કહ્યું કે સમાયરા અને કિયાનને ટ્રસ્ટ સંબંધિત જરૂરી માહિતી આપવામાં ટાળમટોળ કરવામાં આવી હતી. તેમના મતે, આગામી કાનૂની દસ્તાવેજોમાં આ મુદ્દાઓને વિગતવાર રજૂ કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે પહેલાથી જ શંકા વ્યક્ત કરી છે

સમગ્ર વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે દિલ્હી હાઈકોર્ટે વસિયતનામાને લઈને શંકાસ્પદ સંજોગોનો ઉલ્લેખ કરતા એસ્ટેટને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો. કોર્ટે હાલમાં સંપત્તિ સંબંધિત મોટા વ્યવહારો અથવા ફેરફારો પર રોક લગાવી છે.