Kolkata Messi Statue Removed Amidst High Winds; Inaugurated 6 Months Ago

Last Updated: June 1, 2026By

કોલકાતા15 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં સ્થાપિત સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસીના 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુને સોમવારે હટાવી દેવામાં આવ્યું. તાજેતરમાં આવેલા તેજ વાવાઝોડામાં સ્ટેચ્યુ હલવાની ફરિયાદ મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને તેને હટાવવાનો નિર્ણય કર્યો.

PWD (લોક નિર્માણ વિભાગ)ના અધિકારીઓએ હાઈડ્રોલિક ક્રેનની મદદથી સ્ટેચ્યુને તેના આધારથી અલગ કર્યું. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે ટ્રક પર રાખીને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું. હટાવવાની પ્રક્રિયામાં સ્ટેચ્યુને કોઈ નુકસાન થયું નથી.

આ સ્ટેચ્યુ ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. તે સમયે મેસીના કોલકાતા પ્રવાસ દરમિયાન તેનું ઉદ્ઘાટન થયું હતું. મેસીએ રીમોટ કંટ્રોલ દ્વારા સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્ટેચ્યુ લગભગ 10 કરોડ રૂપિયામાં બન્યું હતું. આ પ્રતિમા લોખંડ અને ફાઈબરથી બનાવવામાં આવી હતી. તેને માત્ર 40 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ હટાવવાની 4 તસવીરો…

લોકોએ સ્ટેચ્યુ હલવાની ફરિયાદ કરી

થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવા પર સ્ટેચ્યુ ડગમગવા લાગે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ અને પીડબ્લ્યુડીએ મળીને તેની તપાસ કરાવી.

તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે સ્ટેચ્યુના પાયામાં લાગેલા ફાઉન્ડેશન બોલ્ટ્સમાં ટેકનિકલ ખામી છે. તેણે ચેતવણી આપી કે સ્ટેચ્યુ હવે સુરક્ષિત નથી અને પડી શકે છે. આ પછી પ્રશાસને તરત જ તેને હટાવવાનો નિર્ણય કર્યો.

હાલમાં સ્ટેચ્યુને પીડબ્લ્યુડીની દેખરેખ હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકારે હજુ સુધી એ નક્કી કર્યું નથી કે તેને ફરીથી ક્યાં સ્થાપિત કરવામાં આવશે. જોકે, ચર્ચા છે કે ભવિષ્યમાં તેને રવીન્દ્ર સરોવર અથવા ઇકો પાર્કમાં સ્થાપિત કરી શકાય છે.

આ પ્રોજેક્ટની શરૂઆત પશ્ચિમ બંગાળ સરકારના પૂર્વ મંત્રી સુજીત બોઝે કરી હતી. તાજેતરમાં તેમને નગરપાલિકા ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

13 ડિસેમ્બર 2025: મેસીએ પોતાની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું

સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીએ પોતાની મૂર્તિનું રિમોટ કંટ્રોલથી ઉદ્ઘાટન કર્યું હતું.

સોલ્ટ લેક સ્ટેડિયમમાં મેસીએ પોતાની મૂર્તિનું રિમોટ કંટ્રોલથી ઉદ્ઘાટન કર્યું હતું.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા હતા. આ દરમિયાન તેમણે 13 ડિસેમ્બર 2025ના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. મેસી પોતાના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે પહોંચ્યા હતા.

મેસી સ્ટેડિયમમાં માત્ર થોડી મિનિટો જ રહ્યા અને ભારે સુરક્ષા વચ્ચે પાછા ફર્યા. આનાથી ચાહકો નારાજ થઈ ગયા. ગુસ્સે થયેલા ચાહકોએ સ્ટેડિયમમાં હોબાળો કરવાનું શરૂ કરી દીધું. ગુસ્સામાં કેટલાક ચાહકોએ ખુરશીઓ ફેંકી અને મેદાનમાં ઘૂસી ગયા હતા.

મેસીના વહેલા નીકળી જવાથી નારાજ ચાહકોએ સ્ટેડિયમમાં બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું.

મેસીના વહેલા નીકળી જવાથી નારાજ ચાહકોએ સ્ટેડિયમમાં બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું.

દર્શકોની નારાજગીથી સ્ટેડિયમમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.

દર્શકોની નારાજગીથી સ્ટેડિયમમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.

23 મે: મમતા બેનર્જી દ્વારા ડિઝાઇન કરાયેલી મૂર્તિ તોડી

બંગાળ સરકારે કોલકાતામાં સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર સ્થાપિત પ્રતિમાને તોડી પાડી હતી. તેને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડિઝાઇન કરી હતી. તેને 2017માં પશ્ચિમ બંગાળમાં આયોજિત ફીફા અંડર-17 વર્લ્ડ કપ પહેલાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે સોલ્ટ લેક સ્ટેડિયમને અપગ્રેડ કરવા પર ₹100 કરોડનો ખર્ચ થયો હતો.

સ્ટેડિયમના VVIP ગેટ સામે સ્થાપિત આ પ્રતિમામાં ફૂટબોલ બૂટ પહેરેલા ખેલાડીના 2 પગ પર ફૂટબોલ બનેલા હતા. પ્રતિમામાં કમરની ઉપર પણ ફૂટબોલ બનેલો હતો. પ્રતિમા પર TMC સરકારનો બ્રાન્ડિંગ સ્લોગન ‘બિશ્વા બાંગ્લા’ લખેલો હતો. નીચે લખેલું હતું- કોન્સેપ્ટ એન્ડ ડિઝાઇન બાય મમતા બેનર્જી.

આ પ્રતિમા સ્થાપનાના સમયથી જ વિવાદોમાં રહી હતી. ભાજપ તેનો વિરોધ કરી રહી હતી. CM શુભેન્દુ અધિકારીએ શપથ ગ્રહણના બીજા દિવસે કહ્યું હતું- અમે આ પ્રતિમાને પાડી દઈશું.

Leave A Comment