Manoj Muntashir UGC Bill 2026 Black Law; Appeal PM Modi Withdraw VIDEOS

Last Updated: January 28, 2026By

39 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સમગ્ર દેશમાં UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) બિલ 2026 વિરુદ્ધ વિરોધ ચાલુ છે. હવે મનોજ મુન્તશિરે પણ તેને ‘કાળો કાયદો’ ગણાવ્યો છે. આ સાથે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેને રદ કરવાની અપીલ કરી છે.

મનોજ મુન્તશિરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું કે, ‘જો કોઈ બગીચામાં એક છોડ નાનો રહી ગયો હોય, તો તેનો અર્થ એ નથી કે સંરક્ષણ અને સમાનતાના નામે બીજા છોડને ઉપરથી કાપી નાખવામાં આવે. અતીતનું પાનું બંધ થઈ ગયું છે, 21મી સદીના જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ, તે જાતિઓની વિદાયનો સમય છે.’

મનોજ મુન્તશિરે વીડિયો શેર કર્યો.

મનોજ મુન્તશિરે વીડિયો શેર કર્યો.

મનોજ મુન્તશિરે આગળ કહ્યું, ‘હું આદરણીય પ્રધાનમંત્રીજીને 140 કરોડ ભારતવાસીઓ વતી હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અમારા બધાં માટે પિતા સમાન છો. એક બાળકને ખુશ કરવા માટે બીજાને કારણ વગર થપ્પડ ન મારો. તમારી મમતા અને સ્નેહ પર અમારા બધાંનો સમાન અધિકાર છે. UGCનો કાળો કાયદો પાછો ખેંચી લો. અમારી એકતાને નબળી પડતી બચાવો. જો આ દેશમાં જાતિઓ જીતી ગઈ તો ભારત હારી જશે.

શું છે UGC કાયદો, જેના પર વિવાદ થયો?

UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) એ તાજેતરમાં એક નવો બિલ પસાર કર્યો છે, જે મુજબ દરેક સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પછાત વર્ગના લોકો માટે એક સમિતિ બનાવવામાં આવે. આ સમિતિ તે વર્ગના વિદ્યાર્થીઓ સાથે થતા જાતિવાદ, નસ્લવાદને રોકવા માટે ગઠિત થશે, જેમાં વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકે છે.

આનાથી જનરલ કોટાને બહાર રાખવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. જનરલ કોટાના ઘણા વિદ્યાર્થીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. જનરલ કોટામાં ડર છે કે આ સમિતિનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે.