Sweet or Salted Curd, Which is More Beneficial in Summer? | Gujarat News

Last Updated: May 18, 2026By

મીઠુ દહીં સવારે નબળાઈ સાથે અને બાળકો માટે ઉર્જા અને મૂડ સુધારે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

દહીં ભારતીય આહારનો એક અભિન્ન ભાગ છે. જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. લોકો તેને અલગ અલગ રીતે ખાય છે. કેટલાક ખારું દહીં પસંદ કરે છે. જ્યારે કેટલાક મીઠુ દહીં પસંદ કરે છે.

ક્યારે સેવન કરવું જોઈએ?

1. બપોરના ભોજન સાથે.

2. ઉનાળામાં દરરોજ.

3. મસાલેદાર કે ભારે ભોજન સાથે.

ફાયદા જાણો

જીરું, કાળું મીઠું, ધાણા અથવા ફુદીનો ખારા દહીંમાં ઉમેરવાથી તે વધુ સ્વસ્થ બને છે. પાચન માટે ઉત્તમ છે. તે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. મીઠું દહીં અથવા છાશ શરીરને ઠંડુ પાડે છે અને હીટસ્ટ્રોક સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. મીઠું અને મસાલા શરીરમાં પાણી અને ખનિજોનું સંતુલન જાળવી રાખે છે. ભારે અથવા તળેલા ભોજન પછી તે ખાસ કરીને ફાયદાકારક છે.

મીઠુ દહીં ક્યારે ખાવું ?

1. સવારે ખાલી પેટે અથવા નાસ્તામાં.

2. જ્યારે નબળાઈ કે થાક લાગે છે.

3. બાળકો અને વૃદ્ધો માટે.

શું છે મીઠુ દહીંના ફાયદા ?

મીઠુ દહીં તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. દહીંમાં ખાંડ અથવા મધ ઉમેરવાથી તાત્કાલિક ઉર્જા મળે છે. મીઠો સ્વાદ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. મીઠુ દહીં પેટને ઠંડુ કરે છે અને હળવી ભૂખ માટે સારું છે. ખાટા દહીં ન ખાઈ શકતા બાળકો માટે મીઠુ દહીં વધુ સારો વિકલ્પ છે.

આ પણ વાંચોઃ  કેવી રીતે બન્યુ નોર્વે ગેસ હબ, કેટલા દેશમાં પહોંચે છે નોર્વેજીયન ગેસ?

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave A Comment