ડેટા વગરના મોબાઇલ રિચાર્જ પ્લાન સસ્તા થશે:ટ્રાઈએ મુસદ્દો રજૂ કર્યો, સૂચનો માંગ્યા; 70% સુધી કિંમત ઘટી શકે છે

Last Updated: July 12, 2026By

દૂરસંચાર નિયામક ટ્રાઈએ ગ્રાહકોના હિતમાં મોટું પગલું ભરતા ‘દૂરસંચાર ઉપભોક્તા સંરક્ષણ વિનિયમ, 2026’નો નવો મુસદ્દો જાહેર કર્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે- ‘ડેટા નથી જોઈતો, તો તેના પૈસા શા માટે આપવા?’ ટ્રાઈએ આ અંગે તમામ પક્ષો પાસેથી સૂચનો મંગાવ્યા છે, પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. નવો પ્રસ્તાવ શું છે? હાલમાં કંપનીઓ અમુક જ સમયગાળા માટે ‘ફક્ત કોલ-એસએમએસ’ પેક આપે છે. આનાથી ઘણા ગ્રાહકોને મજબૂરીમાં ડેટાવાળો મોંઘો પ્લાન લેવો પડે છે. હવે ટ્રાઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે કંપનીઓ જેટલા દિવસોની માન્યતા જેમ કે 7, 28, 56 કે 84 દિવસનો ડેટાવાળો પ્લાન લાવે છે, તેટલા જ સમયગાળાનો ‘ફક્ત કોલ અને એસએમએસ’વાળો પ્લાન પણ લાવવો પડશે. કિંમતો કેટલી ઓછી થશે? મોબાઇલ પ્લાન્સમાં 50-70% ખર્ચ ડેટાનો હોય છે, તેથી નવો નિયમ લાગુ થવા પર ફક્ત કોલ-એસએમએસવાળા પ્લાનની કિંમત અડધાથી પણ ઓછી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 300 રૂપિયાનો પ્લાન 100 થી 150 રૂપિયામાં મળી શકે છે. કોને ફાયદો? ફીચર ફોન યુઝર્સ અને વૃદ્ધોને, જેઓ ડેટાનો ઉપયોગ કરતા નથી. જેઓ બીજી સિમ માત્ર કોલ માટે રાખે છે. આ ઉપરાંત, જેમના ઘરોમાં વાઇફાઇ છે. તેમના માટે પણ આ ફાયદાકારક રહેશે. 1600 અને 140 સિરીઝના જરૂરી કોલને એપ્સ બ્લોક કરી શકશે નહીં ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રુકોલર જેવી કોલ મેનેજમેન્ટ એપ્સ 1600 અને 140 સિરીઝના કોલ્સને બ્લોક કરી શકતી નથી…

Leave A Comment