Google’s ‘Debug Project’: Releasing 64 Million Mosquitoes to Fight Diseases | Gujarat News
સામાન્ય રીતે આપણે મચ્છરોને મારવા માટે સ્પ્રે કે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગૂગલની લાઇફ સાયન્સ કંપની ‘વેરિલી’ (Verily) એક એવી પદ્ધતિ પર કામ કરી રહી છે જે તમને ચોંકાવી દેશે. કંપની મચ્છરોની વસ્તીને જૈવિક રીતે નિયંત્રિત કરવા માટે અમેરિકાના ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં લાખો મચ્છરો છોડવાની યોજના બનાવી રહી છે. આ પ્રોજેક્ટનું નામ ‘ડિબગ’ (Debug) રાખવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ડેન્ગ્યુ, ઝિકા અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવતા મચ્છરોને જડમૂળથી નાબૂદ કરવાનો છે.
મચ્છરો દ્વારા જ મચ્છરોના વિનાશની અનોખી જૈવિક રીત
આ યોજના હેઠળ, આગામી બે વર્ષમાં વેરિલી કંપની કુલ ૬૪ મિલિયન (6.4 કરોડ) નર મચ્છરો છોડવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટ અત્યારે યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA) ની મંજૂરી માટે સમીક્ષા હેઠળ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના ઝેરી જંતુનાશકો કે આનુવંશિક ફેરફારનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે પર્યાવરણ માટે સુરક્ષિત માનવામાં આવે છે.
આ ટેકનિક કેવી રીતે કામ કરશે?
આ પ્રોજેક્ટમાં ‘એડીસ એજીપ્તી’ પ્રજાતિના નર મચ્છરોને ‘વોલ્બેચિયા’ (Wolbachia) નામના કુદરતી બેક્ટેરિયાથી સંક્રમિત કરવામાં આવે છે. આ નર મચ્છરો માણસોને કરડતા નથી, તેથી લોકો માટે તે કોઈ જોખમ ઊભું કરતા નથી. જ્યારે આ સંક્રમિત નર મચ્છરો જંગલી માદા મચ્છરો સાથે સંવનન કરે છે, ત્યારે તે માદા દ્વારા આપવામાં આવેલા ઇંડા ફળદ્રુપ થઈ શકતા નથી, પરિણામે તેમાંથી નવા મચ્છરો બહાર આવતા નથી. સમય જતાં, આ પ્રક્રિયાને કારણે તે ચોક્કસ વિસ્તારમાં મચ્છરોની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
અનેક દેશોમાં આ પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ કરાયો
આ પણ વાંચોઃ વિદેશમાં જઇને ભારતીયોનું નામ ન બગાડો, કેમ ભડક્યા હર્ષ ગોયેન્કા અને IPS અરુણ બોથરા?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

